SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં પર્યાય દ્રવ્ય સન્મુખ ઢળીને તેનો સ્વીકાર કરે છે ત્યારે દ્રવ્ય-પર્યાય | અભેદરૂપ જ છે. જે પર્યાય દ્રવ્યની સન્મુખ થઈ તે દ્રવ્યનો સ્વીકાર કરે છે. અને ત્યાં તેને શાન્તિનો અનુભવ થાય છે. પોતે આત્મા વ્યાપક અને પોતાની નિર્મળ પર્યાય તે વ્યાપ્ય એમ અભેદરૂપ પરિણમન છે ત્યાં શાંતિ છે. પણ પોતે આત્મા વ્યાપક અને પુણ્ય-પાપના ભાવ તે મારું વ્યાપ્ય એમ જે માને તેને અશાંતિ છે,આવું જ વસ્તુનું સ્વરૂપ છે. જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. આવું, વ્યાપ્ય-વ્યાપકપણે તસ્વરૂપમાં જ હોય; અતસ્વરૂપમાં ન જ હોય. જુઓ ! શું કહે છે ? જે દ્રવ્યનું સ્વરૂપ છે એ જ પર્યાયનું સ્વરૂપ છે. પર્યાય એની જાતની છે ને ! પર્યાય અને દ્રવ્ય બન્ને એક થયા છે એમ નથી. પર્યાય પર્યાયમાં રહીને દ્રવ્યને જાણે છે. દ્રવ્યમાં ભળીને જાણતી નથી, પરંતુ પરથી ભિન્નપણું છે એ અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાય અભિન્ન છે એમ કહ્યું છે. અપેક્ષા બરાબર સમજવી જોઈએ. આ પ્રમાણે દ્રવ્યનું સ્વરૂપ વા સત્ત્વ તે જ પર્યાયનું સ્વરૂપ વા સત્ય છે.આમ હોઈને એટલે કે દ્રવ્ય-પર્યાયની અભિન્નતા હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. દ્રવ્યપ્રાણ : જીવને ચાર દ્રવ્યપ્રાણ છે; ઈન્દ્રિયપ્રાણ, બળપ્રાણ, આયુપ્રાણ તથા શ્વાસોચ્છવાસ પ્રાણ. આ ચાર જીવોના દ્રવ્ય પ્રાણ છે. (૧) ઈન્દ્રિયપ્રાણ = સ્પર્શન, રસના, પ્રાણ, ચશ્ન અને શ્રોત્ર, એ પાંચ ઈન્દ્રિયપ્રાણ દ્રવ્યપ્રાણના ભેદ :દ્રવ્યપ્રાણના દશ ભેદ છે. પાંચ ઈન્દ્રિય, ત્રણ યોગ (મન, વચન, કાય) બલ, શ્વાસોશ્વાસ અને આયુ.(એ સર્વ દૂગલ પર્યાયો છે. આ દ્રવ્યપ્રાણોના સંયોગ-વિયોગથી જીવોની જીવન-મરણરૂપ અવસ્થા વ્યવહારથી કહેવાય છે.) દ્રશ્ય-પરિવર્તન જ્યારે કોઇ જીવદ અનંતાનંત પુદ્ગલોને, અનંતવાર ગ્રહણ કરી છોડી દે છે, ત્યારે તેનું એક પુલ-પરિવર્તન થાય, આ જીવે એવાં અનેક, દ્રવ્ય-પરિવર્તન કર્યા છે. પુગલ-પરિવર્તનરૂપ સંસારમાં ખરેખર જીવ, એકજ સર્વય પુગલ વર્ગણાઓ, વારંવાર અનંતવાર ભોગવે છે. અને છોડે છે. દ્વવ્યાપાપ કર્મનું નિમિત્ત જે વિકારનો કરનાર અજીવનો પર્યાય તે દ્રવ્ય પાપ છે. વસ્તુ સ્વભાવ પોતે પુણ્ય-પાપને કરનાર નથી. શુભભાવ થવા લાયક જીવ(પર્યાય) અને એનો કરનાર કર્મનો ઉદય તે અજીવ છે તેને દ્રવ્ય પુણય કહીએ. એવી રીતે હિંસા, જૂઠ ચોરી આદિ ભાવપાપ થવા લાયક તો જીવ છે, પર્યાયમાં એવી લાયકાત છે અને કર્મનું જે નિમિત્ત છે તેને દ્રવ્યપાપ કહીએ. ટૂથબંધ શુભાશુભ પરિણામના નિમિત્તી શુભાશુભ કર્મપણે પરિણત પુદ્ગલોનું જીવની સાથે અન્યોન્ય અવગાહન (વિશિષ્ટ શક્તિ સહિત એક ક્ષેત્રાયગાહ સંબંધ) તે દ્રવ્ય બંધ છે. (૨) સામે પૂર્વકર્મનું નિમિત્ત છે એ બંધન કરનાર છે. નવો બંધ થાય એની વાત અહીં નથી. આ તો પૂર્વ કર્મ જે નિમિત્ત થાય છે. અને અહીં દ્રવ્યબંધ કહ્યો છે. ભગવાન આત્મા તો અબધ્ધ-સ્પષ્ટ છે, પણ એની પર્યાયમાં બંધ યોગ્ય લાયકાત છે તે (જીવ) ભાવબંધ છે. અને બંધન કરનાર કર્મ-નિમિત્ત છે તે દ્રવ્યબંધ છે, આમ બન્ને બંધ છે. (૩) આ દ્રવ્યબંધનું નિમિત્ત ભાવબંધ છે. (૪) જડ પ્રકૃતિ બંધાય તે દ્રવ્યબંધ. તેમાં જીવના વિકારી પરિણામ નિમિત્ત. (૫) દ્રવ્ય રૂપ, આત્મ દ્રવ્યનું શુદ્ધ સ્વરૂપ છે, તેવું પોતે પ્રગટાવ્યું છે, તે દ્રવ્યરૂપ થયા છે. દ્રવ્યભાવ ભેદે ભિન્ન ઘાતિ ક દ્રવ્યને ભાવ. એવા બે ભેદવાળા ઘાતિકર્મો, દ્રવ્ય ઘાતિકર્મો ને ભાવ ઘાતિ કર્મો. દવ્યભાવ પરમાણ :આત્મભાવની સૂક્ષ્મતા. (૨) બળપ્રાણ = કાય, વચન અને મન, એ ત્રણ બળપ્રાણ છે. (૩) આયપ્રાણ =ભવધારણનું નિમિત્ત (અર્થાત્ મનુષ્યાદિ પર્યાયની સ્થિતિનું નિમિત્ત) તે આયુપ્રાણ છે. (૪) શ્વાસોચ્છવાસ પ્રાણ = નીચે તથા ઊંચે જવું તે જેનું સ્વરૂપ છે એવો વાયુ (શ્વાસ) તે, શ્વાસોશ્વાસ પ્રાણ છે. આ ચાર પુલ જનિત છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy