SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1064
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણ-૫ર્યાયોનું અને દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન નથી, એક જ છે; કારણકે ગુણ | પર્યાયો દ્રવ્યથી જ નિષ્પન્ન થાય છે, અને દ્રવ્ય ગુણ-પર્યાયોથી જ નિષ્પન્ન થાય છે. વળી એવી જ રીતે ઉત્પાદ-વ્યય ધ્રૌવ્યોનું અને દ્રવ્યનું અસ્તિત્વ પણ એક જ છે; કારણકે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યો દ્રવ્યથી જ નીપજે છે. અને દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યોથી જ નીપજે છે. આ પ્રમાણે સ્વરૂપ અસ્તિત્વનું નિરૂપણ થયું. ઉત્પાદ-વ્યય ધ્રૌવ્યો જ દ્રવ્યમાં કર્તા, કરણ અને અધિકરણ છે; તેથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય જ દ્રવ્યના સ્વરૂપને ધારણ કરે છે. (૨) કેવળ જ્ઞાન ને આનંદ આદિ અનંત ગુણમય છે. સ્વરૂપ ગુપ્તિ આત્મ સંયમ. વરૂપ પકાશનની અવસ્થા : સ્વરૂપને જાણવાની અવસ્થા. સ્વરૂપ પ્રત્ય સ્વરૂપે પ્રત્યક્ષ. સ્વરૂપ અપેક્ષા એ પ્રત્યક્ષ; સ્વભાવે પ્રત્યક્ષ. (૨) આત્મા શાસ્ત્રમાં આત્માને સ્વરૂપ પ્રત્યક્ષ કહ્યો છે. સ્વરૂપ પ્રત્યક્ષ જ વસ્તુ છે. તેથી જ તે પર્યાયમાં પ્રત્યક્ષ થાય છે. વસ્તુ સ્વરૂપ પ્રત્યક્ષ જ જ્ઞાનમાં છે, તેથી પ્રત્યક્ષ પર્યાયથી જણાય છે. (૩) સ્વરૂપે પ્રત્યક્ષનું સ્વરૂપ અપેક્ષાએ પ્રત્યક્ષ, સ્વભાવે પ્રત્યક્ષ. સ્વરૂપ પરિસ્થિતિ સ્વસંવેદનનો અભાવ. સ્વરૂપ મંથર સ્વરૂપમાં જામી ગયેલો. (મંથર = સુસ્ત; ધીમો. આ શ્રમણ સ્વરૂપમાં તૃપ્ત તૃપ્ત હોવાથી, જાણે કે તે સ્વરૂપની બહાર નીકળવાનો આળસુ-સુસ્ત હોય એમ, સ્વરૂપ-પ્રશાંતિમાં મગ્ન થઈને રહ્યો છે.) સ્વરૂપ રમણતા :સ્થિરતા. સ્વરૂપવિકળ સ્વરૂપ પ્રાપ્તિ રહિત. સ્વરૂપ વિકાર સ્વરૂપનો વિકાર. (સ્વરૂપ બે પ્રકારે છે : (૧) દ્રવ્યાર્થિક નયના વિષયભૂત સ્વરૂપ, અને (૨) પર્યાયાર્થિક નયના વિષયભૂત સ્વરૂપ. જીવમાં જે વિકાર થાય છે તે પર્યાયાર્થિક નયના વિષયભૂત સ્વરૂપને વિષે થાય છે, દ્રવ્યાર્થિક નયના વિષયભૂત સ્વરૂપને વિષે નહિ; તે (દ્રવ્યાર્થિક નયના વિષયભૂત) સ્વરૂપ તો સદાય અત્યંત વિશુદ્ધ ચૈતન્યાત્મક છે.) ૧૦૬૪ સ્વરૂપ વિશ્રાંત સ્વરૂપમાં ઠરી ગયેલું વરૂપ શ્રદ્ધા અંતરંગમાં જે ત્રિકાળપૂર્ણ જ્ઞાનાનંદ ઘન સ્વરૂપ ભગવાન આત્મા છે તેની અંદર એક ત્રિકાળી શ્રદ્ધાનો સ્વભાવ ભર્યો પડ્યો છે ને તે સ્વરૂપ શ્રદ્ધા છે. તેનું પ્રગટ કાર્ય આવે તે સમ્યગ્દર્શન છે. અનંત આનંદ અનંત જ્ઞાન, અનંત શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, પરમેશ્વરતા ઈત્યાદિ સ્વરૂપ જે ભગવાન આત્માનો નિત્ય ધ્રુવ સ્વભાવ છે તે નિત્ય સ્વભાવમાં એક ત્રિકાળી શ્રદ્ધાનો ભાવ પણ પડ્યો છે, અને તે સ્વરૂપ શ્રદ્ધા છે. ભાઈ, આ વાત તો લોજિકલી છે. પણ હવે વાતને પકડવી (સમજવી) તો એને છે ને ? (૨) અંતરંગમાં જે ત્રિકાળપૂર્ણ જ્ઞાનાનંદ ઘન સ્વરૂપભગવાન આત્મા છે તેની અંદર એક ત્રિકાળી શ્રદ્ધાનો સ્વભાવ ભર્યો પડ્યો છે, ને તે સ્વરૂપ શ્રદ્ધા છે. અહા ! તેનું પ્રગટ કાર્ય આવે તે સમ્યગ્દર્શન છે, આવી વાત છે. અહા ! અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, પરમેશ્વરતા ઈત્યાદિસ્વરૂપ જે ભગવાન આત્માનો નિત્ય ધ્રુવ સ્વભાવ છે તે નિત્ય સ્વભાવમાં એક ત્રિકાળી શ્રદ્ધાનો ભાવ પણ પડ્યો છે. અને તે સ્વરૂપ શ્રદ્ધા છે. ભાઈ, આ વાત, તો લોજિકથી છે, પણ હવે વાતને પકડવી (સમજવી) તો એને છે ને ! વરૂ૫ શ્રદ્ધાન સ્વરૂપ અપેક્ષાએ શ્રદ્ધાન. (જેમ કારણ સ્વભાવજ્ઞાન અર્થાત્ સહજજ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષ છે, તેમ કારણ સ્વભાવ દૃષ્ટિ અર્થાત્ સહજ દર્શન સ્વરૂપ શ્રદ્ધાન માત્ર જ છે.) 4ષ સનખ :આત્મ સન્મુખ; જ્ઞાનમાત્ર સ્વરૂપ તરક; જ્ઞાનસ્વભાવ તરફ લક્ષ રાખવું, તેને અનુભવવું, તેમાં કરવું. સ્વરૂપ સંપદા આત્મસ્વરૂપ ભાવરૂપ લક્ષ્મી સ્વરૂપ-અસ્તિત્વ અસ્તિત્વને અને દ્રવ્યને પ્રદેશભેદ નથી; વળી તે અસ્તિત્વ અનાદિ-અનંત છે તથા અહેતુક એકરૂપ પરિણતિએ સદાય પરિણમતું હોવાને લીધે વિભાવધર્મથી પણ ભિન્ન પ્રકારનું છે; આ હોવાથી અસ્તિત્વ દ્રવ્યનો સ્વભાવ જ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy