SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ બામજી ડોસાભાઈ હરમસજી – બારી બહાર બામજી ડોસાભાઈ રમસજી : “સંસારકોશ ઓર આ વૅકેબ્યુલરી ઑફ આર્ટિકલ ઑફ કોમર્સ એન્ડ જનરલ યુટિલિટી ઇન ઇગ્લિશ ઍન્ડ ગુજરાતી ડૉન્ગવેજીઝ' (૧૮૯૪) તથા “વોકેબ્યુલરી ઓફ સિલેકટેડ ટર્મ્સ યુઝડ ઇન આર્ટ્સ, કોમર્સ, લૉ' (૧૮૭૨) ના કર્તા. ૨.૨,દ. બામજી રૂસ્તમજી હોરમસજી : ચતુરંગી નાટક ‘અલાદ્દીન' (૧૮૭૯) -ના કર્તા. બામજી સોહરાબ રૂસ્તમજી : બળાપણાગી ચરિત્રલક્ષી કૃતિ “અશા સ્મિતમ ન થુમ્રની જિંદગી અને ક્ષણ:'(૧૯૩૭)ના કર્તા. નિ.. બારડ નરેન્દ્રકુમાર બાબુલાલ: “નરેન બારડ’, ‘રમ્ય મજેવડીકર) (૧૮-'૧૯૫૪): વાર્તાકાર, કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૭૦માં મેટ્રિક. જૂનાગઢમાં તાર અને ટપાલખાતામાં ટેલિફોન ઓપરેટર. એમાણે કાવ્યસંગ્રહ ‘મને જે ગમશે' (૧૯૭૯) તથા વાર્તાસંગ્રહ “ક્ષણાલય' (૧૯૮૩) ઉપરાંત લઘુકથા સંપાદન ‘ગંગા-સિંધુ' ('૧૯૮૪) અને જૂનાગઢ સર્વસંગ્રહ' (૧૯૮૨) જેવાં પુસ્તકા આપ્યાં છે. ૧૯૬૪ દરમિયાન અાકાશવાણીના વડોદરા તેમ જ રાજકોટ કેન્દ્રમાં નાટયલેખક. ૧૯૬૪ થી ૧૯૬૮ સુધી ૨. કાશવાણી, દિલ્હીના ગુજરાતી સમાચાર-ઉદ્ઘોષક. ૧૯૬૮ થી ૧૯૭૩ સુધી રોકારી વિનિમય કાર્યક્રમ અંતર્ગત મેડો રેડિયન ગુજરાતી વિભાગના કાર્યકમ-આયોજક. ૧૯૭૩ થી ભારતીય અંતરીક્ષ અનુસંધાન કેન્દ્ર (ઇસરો) સાથે સંલગ્ન અને અદ્યપર્યત કાર્યક્રમ નિર્માત:. સાત પાત્રાવાળું દ્વિઅંકી નાટક ‘કાળેકામળા' (૧૯૭૫) વાસ્તવ અને અમૂર્તને વિનિમય કરનું એમનું પ્રયોગલક્ષી માનસશાસ્ત્રીય નાટક છે. આ નાટકને હિન્દી અનુવાદ ૧૯૮૦માં ‘કલા કેબલ' નામે પ્રગટ થયું છે. રંગભૂમિ વિશેના વિવેચનાત્મક લેખાને સંગ્રહ નાટક સરીખે નાદર હુન્નર' (૧૯૮૩) ગુજરાતી રંગભૂમિમાં પ્રવર્તતી એકવિધતા અને પ્રસિનિયમના ધંધાદારી વિનિગની સામે વિરોધનો સૂર પ્રગટ કરે છે. ચૅખાવના પ્રસિદ્ધ નાટક ‘અંકલ વન્યાને અનુવાદ ‘વાના મામા' (૧૯૮૩) ઉપરાંત “લિફોન' (‘એનેકટ', '૧૯૮૧ ૮૨) એ એમના અંગ્રેજી નાટયાનુવાદો છે. ‘નાદંન જાફ (૧૯૮૫) મૂળ ગુજરાતીમાં તથા હિન્દીમાં પણ યાયાવર' (૧૯૮૬) નામે પ્રગટ થયું છે. ‘બારડીનાં બે નાટકો' (૧૯૮૪)માં સામાજિક વાસ્તવનું નિરૂપણ કરતાં બે નાટકો પૈકી ‘પછી શબ જી બેલિયા' ત્રિઅંકી છે તથા ‘શુમતી યુવતી’ દ્વિઅંકી છે. ‘એક આકાશ અને બીજાં નાટકો' (૧૯૮૫)માં મુખ્ય નાટક ‘એકલું આકાશ વર્તમાન સમાજવ્યવસ્થાનું ટીકાત્મક નિરૂપણ કરનું પ્રયોગશીલ નાટક છે. ૫.એ. બારિયા સુરેશ (૨૨-૪ ૧૯૩૬, ૨૬ ૮ ૧૯૮૧) : નવલકથાલેખક, વર્તાલેખક. એમ.એ., બી.ઍડ. પ્રારંભ માધ્યમિક શાળામાં અને પછીથી મુંબઈની વિવિધ કોલેજોમાં ગુજરાતીનું અધ્યાપન. મુંબઈમાં અવન. એમણે “થોરનાં ધાવણ, ‘ચકાંક’, ચંદને આગ 'ટ', અપરાજિત દેવતા', ‘માણસ નામે રાક્ષસ’ અને ‘કુંતલજેવી સામાજિક નવલકથાઓ ઉપરાંત ‘મને ઉડવા દો' તથા ‘વામનનાં ત્રણ પગલાં” નામના વાર્તાસંગ્રહો આપ્યા છે. બારણે ટકોરા : ઉમાશંકર જોશીનું એકાંકી. પર" ગારના અવસાન પછી ટાંચાં સાધનો વચ્ચે અતિથિસત્કારમાંથી ચલિત થતી નંદુ ગારાણીની વેદના નાટકના કેન્દ્રમાં છે. ચં.ટી. બારભાયા જેકિશન લ. : નવલકથા “» ઘડશંકર અને તેના ભાઈ (૧૯૧૫), પ્રવાસકથા ‘મુંબઈથી મદ્રાસ'(૧૯૧૫) તથા ‘ચાર નાટિકાઓ' (૧૯૪૬)ના કતાં. બારભાયા હરકુંવર મૂળજી : નવલકથ: ‘હાથનાં કર્યાં હૈયે વાગે અથવા છૂપા પડછાયા' (૧૯૦૮)નાં કર્તા. બારાઈ ચારુલતા બી. : જીવનચરિત્ર નરોત્તમ નહરુના વિવિધરંગી પ્રતિભા-પ્રસંગ' (૧૯૬૪) અને બસે ચિત્રમય વાર્તાઓ સમાવતી ઈસપકથાઓ : ઈસપની સંસ્કારથાઓ', 'ઈસપની બોધકથાઓ', ‘ઈસપની ધર્મકથાઓ', 'ઈસપની ચતુરકથાઓ', 'ઈસપની પ્રેરકકથાઓ' (૧૯૭૯)નાં કર્તા. બારાડી હસમુખ જમનાદાસ (૨૩-૧૨-૧૯૩૮) : નાટ્યકાર, વિવેચક, અનુવાદક. જન્મ રાજકોટમાં. ૧૯૬૧માં સૌરાષ્ટ્ર સંગીતનાટક અકાદમી, રાજકોટથી નાટદિગ્દર્શન વિષય સાથે ડિપ્લેમાં, ૧૯૬૪માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે ગુજરાત યુનિવસિટીમાંથી બી.એ., ૧૯૭રમાં મોસ્કોના સ્ટેટ થિયેટર ઇન્સ્ટિટયુટમાંથી થિયેટર ઇતિહાસ વિષય સાથે એમ.એ. એ જ વર્ષે ટી.વી. ઇસ્ટિટયુટ, મેસ્કોમાં ટી.વી. નિર્માણ અંગેની તાલીમ. ૧૯૬૦ બારી બહાર (૧૯૪૦): પ્રહલાદ પારેખના કાવ્યસંગ્રહ. આ રાંગ્રહ ગાંધીયુગોત્તર કવિતાને માટે સૌદર્યાભિમુખતાની દિશા ખલનારી છે. આથી ડહોળાણ પછીનાં “નીતરાં નીર’ એમાં જોવાયાં છે. વળી, તત્કાલીન પરિસ્થિતિ અને યુગચેતનાનું પ્રતિબિંબ જેટલાં મહત્ત્વનાં નથી એટલાં માનવહૃદયના છટકણા ભાવ અને ભાવનાં તીવ્ર ઇન્દ્રિયગ્રાહ્ય સંવેદને અહીં મહત્ત્વનાં છે. રચનાઓ મધુર, સુખ અને સંવેદ્ય છે. કવિની સૌરભપ્રીતિ અજોડ છે. ‘બનાવટી ફૂલને અને ‘આ’ એમનાં પ્રસિદ્ધ કાવ્યો છે. વૃત્તબદ્ધ કાવ્યો તથા સેનેટ સ્વરૂપમાં તેઓ સફળ રહ્યા છે, છતાં એમનાં ગીતાને લયહિલ્લોળ એમની વિશેષ સિદ્ધિ છે. લાંબાં કાવ્યો-કથાકાવ્યોમાં એમને ઝાઝી ફાવટ નથી. ઉમાશંકરે એમની કવિતાની ‘આંખ, કાન અને નાકની કવિતા” તરીકે સાચી ઓળખ આપી છે. ૧૯૬૦ની ગુજરાતી સાહિત્યકોશ -૨ :૩૯૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy