SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અડાલજા શિવલાલ પિપટલાલ – અધ્યારુ મણિશંકર જગન્નાથ એમણ પેરીમેસનને પ્રભાવ ઝીલ્યો છે. “સાંજને ઉંબર' (૧૯૮૩) અને “એ' (૧૯૭૯) એમની ટૂંકીવાર્તાઓના સંગ્રહ છે. દ.વ્યા. અડાલજા શિવલાલ પોપટલાલ : ‘કુમુદા અને કાન્તા' (૧૮૯૭) નવલકથાના કર્તા. નિ.વા. અડાલજા સી. સી. : ગુજરાતી ભાષામાં લખાયેલું અંગ્રેજી ભાષાનું વ્યાકરણ “એ પ્રાયમર ઑફ ઈંગ્લિશ ગ્રંમર” (પા. આ. ૧૯૫૯)ના કર્તા. - નિ.. અઢિયા વીરેન્દ્ર દ્વારકાદાસ, પ્રેરણા' (૧૯-૬-૧૯૨૫): ‘મારી નૂતન ભારતની યાત્રા' (૧૯૧૫) ને કર્તા. નિ.. અતરિયા ઈસાજી મુસાજી અમીરજી : ‘દીવાળી અને લાચંદનું ફારસ' (૧૮૯૦) ના કર્તા. પા.માં અતિજ્ઞાન : ભવિષ્યમાં દ્રૌપદીની થનાર માનહાનિ જાણતા હોવા છતાં એને નિવારવા અસમર્થ અતિજ્ઞાની સહદેવ દ્રૌપદીનો ઉપભોગ કરી શકતા નથી - એવા વૃતાંતની આરપાસ વૃાતરેહાથી રચાયેલું કાન્તનું મહત્વનું ખંડકાવ્ય. રિ.ટી. અથવા (૧૯૭૪) : ગુલામ મોહમ્મદ શેખને કાવ્યસંગ્રહ, અહીં ચિત્રકાર કવિનાં ગદ્યકાવ્યોમાં આધુનિક સંવેદના સાથે વાસ્તવને મૂર્ત કરવાની નવી પ્રવિધિની તાજગી છે. ચિત્રકલાનાં દૃશ્ય પરિમાણોએ ભાષાની કાવ્યતાનો નહીં પણ ભાષા દ્વારા ઊભી થતી મૂર્તતાના કયાસ કાઢી લે છે અને તેથી વાવિન્યાસની નવી ભંગીઓએ આકાર લીધે છે. ‘જસલમેર' કાવ્યજૂથમાં ચિત્રકારની આંખે જોયેલું સ્થળ કવિની રસંવેદનામાં રૂપાંતર પામ્યું છે; તો ‘રામ પટેલનાં રેખાંકનામાં ચિત્રા પરત્વેની ચિત્રકારની ચેતના કાવ્યચેતનામાં પલટાયેલી જાવાય છે. આ સંગ્રહ ૨iાધુનિક કવિતાને બળ કે ગદ્યમિજાજ બતાવ્યો છે. રાંટો. અદમ ટંકારવી : જુઓ, પટેલ આદમ મુસા. અધિપતિ નગીનદાસ મંછારામ, ‘અધિપતિ', ‘આરામી’, ‘ભીમસેન’: બુરાનપુરમાં જન્મ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રjરતમાં. પિતા દ્વારા પ્રકાશિત છે. પાં 'ગુજરાતમિત્ર' તથા 'દેશીમિત્રમાં ૫ત્રકારત્વ. પછીથી મુંબઈ જઈ રૂની એજનની. ફરી ‘ભીમસેન’ અને ‘ગડગડાટ' નામનાં હાસ્યરસિક પાનું પ્રકાશન. એમણે ચરિત્રગ્રંથ ચરિત્રમાળા' તથા નવલકથાઓ “એક રમૂજી વાર્તા : શેઠ નથુભાઈ ટેકચંદ' (૧૮૯૪), 'નટવર ચંડાળચેકડી અથવા મેટાનાં છે (૧૮૯૮), ‘નવલરંગી નવલ અથવા ફેશનની ફિશીયારી' (૧૯૨૦), 'ભકતાણી કે ભામટી' (૧૯૧૭), “મધુર મધુરી યાને મુંબઈની મોહિની' (૧૯૦૫), ‘લાલમલાલ અથવા સુરની સહેલાણી' (૧૯૧૮), ‘તારા : સૂર્યપુરની સુંદરી’, ‘અબળા અથવા ચેર્યાશીનું ચક્ર' (૧૯૨૧), ‘લટકાળી લલનાનાં લક્ષણ'; નાટકો ‘બાળવિધવા રૂપસુંદરી (૧૮૮૫), ‘રંગીલી ને છબિલી અથવા સરસ્વતીનો શણગાર (૧૮૮૮) ઉપરાંત પદ્યકૃતિ 'દીવાળી' (૧૯૧૬) આપેલાં છે. ૨. ૨. દ. અધ્યાત્મજીવન અથવા અમરજીવનને શ્રતિબોધ (૧૯૦૨-૦૩) : ગોવર્ધનરામ ત્રિપાઠીની આ અપૂર્ણ રહેલી કૃતિ પુત્રી લીલાવતીના તર્પણ અર્થે રચાયેલી છે. ઉપનિષદ, ગીતા અને પંચદશીને આધારે સાચો જીવનમુકત પુરુષ કેવી રીતે વ્યવહરે વિચરે છે, સમષ્ટિ કાજે એને પણ કેવા કર્તવ્યકર્મ પ્રાપ્ત થાય છે, જીવનમુકતની આવી દૃષ્ટિનું પાશ્ચાત્ય ફિલસૂફી સાથે કેટલું સામ્ય છે અને ભારતીય દૃષ્ટિની શી વિશેષતા છે, પાશ્ચાત્ય વિચારકે એની ઉપર નિક્રિય કે દેવવાદી હૈવાને જે આરોપ મૂકે છે તે કેવો નિરાધાર છે તે ૧૯ મી સદીના વિજ્ઞાનવિચારના સંદર્ભમાં, ચાર પ્રકરણમાં ઝીણવટભરી સતેજ તાર્કિક માંડણી દ્વારા લેખકે દર્શાવ્યું છે. .. અધ્યાત્માનંદ સરસ્વતી : ‘કડી 8ીમાં આનંદમયી મા' (૧૯૮૩), ‘રામકૃષ્ણ પરમહંસ' (૧૯૮૩) અને સ્વામી વિવેકાનંદ - ૨'ના કર્તા. નિ.વા. અધ્યાપક કેશવલાલ શિવરામ, “પાટણકર': નાકાર, નાટક મંડળીના સંચાલક તરીકે વધુ પ્રસિદ્ધ. અંગ્રેજી ઓપેરાની અસર ઝીલતું, ગેયનાટક તરીકે ખૂબ પ્રસિદ્ધિ પામેલું સંગીત લીલાવતી' (૧૮૮૯), ‘સીતાપાર્વતી નાટક' (૧૮૯૫) અને પવિત્ર લીલાવતી' (૧૮૯૬) એમની કૃતિઓ છે; તે ‘બાલજ્ઞાન સુબોધ' (૧૮૮૮) અને જૈન કોન્ફરન્સની કવિતા' (૧૯૮૩) એમની અન્ય રચનાઓ છે. શ.ત્રિ. અધ્યારુ દેવરામ ઝીણાભાઈ : મહાપ્રભુજીની સેવાપૂજાનું વર્ણન આપતાં સ્તુતિવિષયક કાવ્યોનો સંગ્રહ ‘લાડિલેશજીનું રસમય ધોળ' (૧૯૩૧) ના કર્તા. નિ.વા. અધ્યારું ભુલાભાઈ ઘેલાભાઈ : ‘ઉદેપુરના મહારાજા રૂપસિંહ રાઠોડ અને ગુણસુંદરીનું નાટકના કતાં. નિ.વા. અધ્યારુ મણિશંકર જગન્નાથ : રૂઢિગત પરંપરાઓ, વહેમ અને અંધશ્રદ્ધાને કારણે કુટુંબમાં અને સમાજમાં સતી વિસંવાદિતાને વર્ણવતું સામાજિક નાટક ‘રૂક્ષ્મણિ” (૧૮૮૫) ના કર્તા. નિ.વા. ' ૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy