SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ જૈન સાહિત્ય સમારોહ - હેમરાજભાઈના મિત્ર કેરશીભાઈ જે મુનિ કુશલચન્દ્ર બન્યા, એમણે સમાજમાં પ્રવર્તી રહેલ કુરિવાજો અને ધર્મની શિથિલતા સામે સુધારક વૃત્તિ અપનાવી, " કછ ગેલડાના કવાણચન્દ્રજી મહારાજે સોનગઢની સંસ્થા શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમની સ્થાપના અને વિકાસમાં ખૂબ જ નોંધપાત્ર ફાળો આપે છે. સંવત ૧૯૪૦માં કચછના પત્રી ગામમાં જન્મેલા મુનિ ચારિત્ર્ય-- વિજયજી સમયજ્ઞ સાધુ હતા. સંવત ૧૯૬૬ માં ચારિત્ર્યવિજયજી વારાણસીમાં યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા ચલાવતા. શાસ્ત્રવિશારદ વિજયધર્મ સૂરિજી મહારાજ સાહેબને મળ્યા, જ્યાં પંડિતો તૈયાર થતા હતા. સંસ્કૃત, પ્રાકૃત અને આગમોનો જ્ઞાનયજ્ઞ નિરંતર ચાલુ હતો. વારાણસીમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યા પછી ચારિત્ર્યવિજયજી પાલીતાણ આવ્યા અને યશોવિજયજી જૈન સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળાની સ્થાપના કરી. પછીથી સમયને અનુરૂપ વ્યાવહારિક કેળવણીની શ્રાવકે માટેની જરૂરિયાત સમજી, આ સંસ્થાનું શ્રી યશોવિજ્યજી જેના ગુરુકુળમાં રૂપાંતર થયું, જે આજે પણ વિદ્યમાન સંસ્થા છે અને કેળવણીના ક્ષેત્રે સારું એવું પ્રદાન કરી રહી છે. સંવત ૧૯૬૮ માં શેત્રુંજી નદીમાં આવેલા પ્રચંડ પૂરમાં તણાતા માણસને કરુણુવીર મુનિશ્રી ચારિત્ર્યવિજયજીએ બચાવ્યાની વાત આજે પણ ગૌરવભેર યાદ કરવામાં આવે છે. ઉપાધ્યાય લબ્ધિમુનિએ બાર જેટલા સંસ્કૃત ગ્રંથની રચના કરી છે. આચાર્ય દેવચન્દ્રસૂરિ તે શાસ્ત્રનાં અવતરણે પૃષ્ઠસંખ્યા સહિત કહી શકતા. જિતેન્દ્રસાગરસૂરિ, મુનિ દેવચન્દ્રજી અને મુનિ રત્નચંદ્ર વિદ્વાન સાધુઓ હતા. ૧૧ મા સૈકામાં અચલગચ્છની સ્થાપના કરનાર શ્રી આર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy