SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છમાં જૈન ધર્મ ૨૯૧ અભ્યાસ માટે મેકયાં. ત્યારબાદ અન્ય સ્થળોએ ફરી ફરી જ્ઞાન મેળવ્યું, સંવત ૧૯૨૮ માં કોડાયમાં અવઠંભશાળા સ્થાપી, જે એક પ્રકારની વિદ્યાપીઠ જ હતી. ગુજરાતભરમાં આવી વિદ્યાપીઠ તે વખતે એક જ હશે, અનેક શ્રાવક-શ્રાવિકાઓ માટે જ્ઞાનની પરબ માંડી દીધી. જ્યારે સ્ત્રીશિક્ષણને પ્રસાર નહતો તે સમયમાં બહેને પણ સંસ્કૃત-પ્રાકૃતનું શિક્ષણ મેળવી વિદુષી બની, જે તે સમયના વાતાવરણમાં ક્રાંતિકારી પગલું હતું. સંવત ૧૯૩૦માં ‘સદાગમ પ્રવૃત્તિ ની શરૂઆત હેમરાજભાઈએ ડાયમાં કરી. એમણે સંસ્કૃતના ઉચ્ચ અભ્યાસ માટે કે વ્યક્તિ એને છેક કાશી સુધી જવા પ્રેરી હતી. ‘સદાગમ પ્રવૃત્તિ દ્વારા જૈન આગમ અને શાસ્ત્રને સંગ્રહ અને અભ્યાસ થતો. કેડાયમાં પ્રાચીન હસ્તલિખિત પ્રતાનો ભંડાર ર. રૂઢિવાદીઓએ મુશ્કેલીઓ પણ ઊભી કરી છતાં હેમરાજભાઈ આ બધું તે વખતે કરી શક્યા. અને કોડાય “કચ્છનું કાશી' કહેવાયું. આ સંસ્થાનાં વિદુષી, હાલાપુરનાં સેવામૂર્તિ પાનબાઈ ઠાકરશીએ તો આઝાદીની લડતમાં પણ ભાગ લીધે હતે. કરછનાં જૈન પંડિતરત્નમાં છે. રવજી દેવરાજ વિશેષ ઉલ્લેખનીય છે. પ્રથમ આગમ “આચારાંગ સત્ર' નો ગુજરાતી અનુવાદ તેમની વિદ્વતાનો પરિચય આપે છે. “સિદ્ધાંત કૌમુદીના આધારે સંસ્કૃત શિક્ષણ માટે પાંચ પુસ્તિકાઓ એમણે તૌયાર કરી હતી. “શતપદી ભાષાંતર,” સદ્ગુણ પ્રશ સા” વગેરે પુસ્તકો એમણે લખ્યાં છે. બિદડાના વેલજીભાઈ સાધનામવાળા જૈન ધર્મના અને મહર્ષિ અરવિંદના ઊંડા અભ્યાસી હતા. બિદડાના આશ્રમમાં એમણે સેંકડો સંસ્કૃત, અંગ્રેજી, પ્રાકૃત અને ગુજરાતીનાં અલભ્ય પુસ્તકોને સંગ્રહ કર્યો છે, જે આજે પણ સારી રીતે જળવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy