SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ 07: પ્ર. શ્રી હપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) Zuck (IND mo દર : પ્રગટાવી શકાતુ હોય, તો તેને માટે શા માટે પ્રયાસેા ન કરવા ? કાંઇક તેા ફળ અવશ્ય મળશે જ. કોઈને કોઈ મહાપાત્ર નીકળી આવશે, છેવટે તે મુનિ મંડળમાંથી નહી', તે તેમના શિષ્ય પ્રશિષ્યાદિકમાંથી મલી આવે ખરા. અને તે જ ભવિષ્યમાં છાયા પાડી શકાશે. નહીતર મુશ્કેલીએ ઘેરા ઘાલતી આવે છે, તેમાં લાખા માણસો બીજા ધર્મોમાં ખેંચી લેવાની યુક્તિઓ ગોઠવાઇ રહી છે, અને તે વખતે જુના ધર્મો જોર ન કરી શકે, તેવી રીતે તેના ઉપર કાયદાથી કબજો ગોઠવાતા જાય છે. એ બધુ જે થવુ હોય, તે ભલે થાય, તેની પરવા ન કરતાં આવા એક વર્ગ તૈયાર કર્યા હોય તો પાછુ બધું કાણે આવી શકે, પરંતુ તેમાં પ્રમાદ કર્યા હોય, તેા શાસનના આગેવાનોને કદાચ પસ્તાવુચે પડે. ૯. પૂર્વાચાર્યાં–મત્રા વિગેરેની આમ્નાયા જાણતા હતા અને તેના પ્રભાવ પડતા હતા—તે વસ્તુ પાછી શ્રી સંધમાં શરૂ કરવી જોઇએ. યુરેાપના કેટલાક વિદ્વાનો તે તરફ હવે વળ્યા છે. વચલા કાળમાં આપણી એ શિત કઇંક બહાર આવી શકી નથી. તે * સતેજ કરવાની જરૂર છે, શ્રી ધમ ઘાષસૂરિ શ્રી શાંતિ દ્રોપાધ્યાય વિગેરે પાસે એવા સાધના હોવાના સાચા પૂરાવા આપણને મળે છે, તો લાખાને ભાગે એ શાખાના પણ ઉદ્ધાર કરવાની જરૂર છે, ખીજા ગમે તેટલી સાધના કરે, પરંતુ જૈન સાધનાને કાઇ પહોંચે તેમ નથી. કારણ કે—ઉચ્ચ સાધના માટે ઉચ્ચ ચારિત્રબળ જોઇએ, અને તે જૈન મુનિમાં ખાસ સભવે છે, તેમજ જૈન મત્રો અને જૈન દેવાની તાકાત વધારે પ્રબળ હોય છે, કેમકેતે દેવા પણ પવિત્ર અને શુદ્ધ જીવનવાળા હાય છે. માટે ઋદ્ધિવાળા અને વધારે લાગવગ પહાંચાડે તેવા હોય છે. અને તે જૈન મુનિઓને સિધ્ધ થાય તેવા ખીજાને ન થાય, એ સ્વાભાવિક છે. માટે બીજાની હરિફાઈમાં આપણા જ વિજય થાય તેવું એ સાધન આપણી પાસે છે. તેના લાખાને ભાગે, અને સેંકડોની આખી જીંદગીની સેવાને ભાગે, બુધ્ધિપૂર્વકની વ્યવસ્થાના બળથી, લાભ આપણે પ્રાપ્ત કરી લેવા જોઇએ. જ્યારે જયારે કષ્ટ કે મુશ્કેલી આવી પડે, ત્યારે ત્યારે દરેક વખતે સબળ રાજયસત્તા આપણને મદદ કરી શકે તેવી હાય જ, એમ માની લેવાનું નથી, પારકી આશા સદા નિરાશા, આપણે આપણા છેવટના રક્ષક સાધનેાથી સ્વતંત્રપણે જ સન્નદ્ધ રહેવુ જોઇએ. આજના વિજ્ઞાનના ચમત્કારિક પ્રયાગો આજે જગતને અચબામાં નાખે છે અને આંજી નાંખે છે, તેની સામે આપણી પાસે કાંઇપણ સાધન નહીં હોય, અને અપંગ જેવા રહીશું, તેા શાસનની રક્ષા કેમ કરીશુ ? આજનુ વિજ્ઞાન ગમે તેવુ' પણ સ્થૂલ તત્ત્વા ઉપર ખડુ' છે, ત્યારે મંત્ર વ્યવસ્થા વધારે રક્ષક અને વધારે સ`ગીન તથા અપ ખર્ચાળ છે, અને તે બીજા બધા કરતાં આપણને કેટલાક સાધના વારસામાં એવા ZAMA V
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy