SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ નવMAJ AN Shry : ૧૦ : શ્રી ચારિત્રવિજય ઉતગતુંગ જિનમંદિર, રળિયામણા રાજમાર્ગો અને નવીન ઢબની બાંધણીથી સુશોભિત જામનગર કાઠિયાવાડની અલબેલી નગરી છે. કીકેટ આલમના પ્રખ્યાત ખેલાડી રાજા જામ એના ગાદીપતિ હતા. અહીંના વ્યાપાર અને બંદરી આવક–જાવકે ઘણા જૈન વેપારીઓનું લક્ષ ખેંચેલું છે. અને પરિણામે ઘણા લક્ષ્મીવાન જૈને આ શહેરમાં વસે છે. આ જૈનાએ બંધાવેલા જિનમંદિરના શિખરોના સેનેરી કળશે વાદળ સાથે વાત કરતા દેખાય છે. ઘણાય જેને તેમ જ મુનિરાજે અહીં યાત્રા માટે આવે છે અને થોડો સમય સ્થિરતા પણ કરે છે. વિ. સં. ૧૫૫૯ માં શાન્તમૂર્તિ મુનિરાજ શ્રી વિનયવિજયજી અત્રે ચતુર્માસ રહ્યા હતા. આ ઉપરાંત બીજા પણ ઘણા વિદ્વાન અને નામાંક્તિ મુનિવરે આ વર્ષમાં અત્રે ચતુર્માસ રહ્યા હતા. શ્રી વિનયવિજયજી પરમ પ્રતાપી મુનિવર્ય બુટેરાયજી (બુદ્ધિવિજયજી) મહારાજના પ્રશિષ્ય શ્રી વિજયકમલસૂરિજી (તે વખતે પંન્યાસ કમાલવિજયજી) ના શિષ્ય હતા. શાન્તિમાં, કિયારસિકતામાં ને સાધુધર્મમાં તેમનું નામ પંકાતું હતું. સત્યની શોધમાં નીકળેલા ને યતિજીના પ્રેર્યા જામનગર આવેલા સ્થાનકમાણી ધર્મસિંહ ઋષિએ સંવેગી દીક્ષા લેવાની મને ભાવનાથી અનેક મુનિરાજને પરિચય સાધ્યો. તેઓ પોતાની જનક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy