SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ નવસાદ ગામ - - - - - ( A, છે % શ્રી ચારિત્ર વિ જ ય આનંદમાં ક્ષણવાર પિતાની સ્થિતિનું ભાન ભૂલી ગયા. વિમાન પાસે ને પાસે આવતું ગયું. છેક નજીક આવી પહોંચ્યું ને વિમાનમાં બેઠેલ એક વ્યક્તિએ તેમને ઉદ્દેશીને કહ્યું : મુનિજી! આવો! તમે જિનભુવનમાં પધાર્યા, દર્શન કર્યા ને પાવન થયા છે. તેથી તમારું સ્થાન અહીં અમારી સાથે છે.” “આનંદનો પાર ન રહ્યો. મુનિ ધર્મસિંહ વિમાનમાં બેસી ગગનવિહાર કરવા લાગ્યા. ડીવારમાં તે સ્વર્ગની ઉજજવલ ભૂમિ પર જઈ ઊભા. ચારેકેર કે ઈ મધુરું સંગીત બજી રહ્યું હોય, કેઈ ઉત્સવ ઉજવાતો હોય એવું વાતાવરણ પથરાઈ રહ્યું હતું. આનંદ, હર્ષ, ઉલ્લાસની આ ભૂમિમાં મુનિજીએ પ્રવેશ કર્યો.” ને રાતના ગળતા પાછલા પહોરે ધર્મસિંહ સ્વામીનાં નેત્રો ઊઘડી ગયાં. સ્વમ પુરું થયું. તેઓ જાગ્રત થઈ બેઠા થયા અને સ્વમ વિષે વિચાર કરવા લાગ્યા. “ખરેખર ! સાચો માર્ગ તે આ છે. પિતાને પૂજ્ય માનનાર, પિતાની પ્રતિમા સાથે શા માટે વિરોધ રાખે? શાસ્ત્રને માનનાર શાસ્ત્રના અડધા પાઠો ભૂંસી નાખે ને અડધા શા માટે સ્વીકારે? આ સ્વમ મારા માર્ગને સત્ય જણાવવા ખાતર જ આવ્યું છે. આજે સવારે ગુરુજી પાસે તેને અર્થ ને ફળ જરુર પૂછીશ.” સુસ્વ. લાધ્યા પછી નિદ્રા કે કુવિચાર ન કરવો, એ શાસ્ત્રઆજ્ઞાને મારી મુનિ ધર્મસિંહજીએ ધર્મધ્યાનમાં ચિત્ત પાવ્યું. સાધુની નિત્યક્રિયા કરી સૂર્યોદય થતાં ગુરુ કાનજીસ્વામી પાસે જઈ તેમણે સ્વમ કહી સંભળાવ્યું, ને તેના ફલને કહેવા પ્રાર્થના કરી. “ઠીક છે.” કાનજીસ્વામીએ બરફ જેટલી ઠંડાશથી જવાબ આપે. સ્વમની વધુ વિવેચના એમને ડરાવી રહી હતી. જિનપ્રતિમાનું જ્યાં નામ આવ્યું ત્યાં તેમનું મન એક શબ્દ પણ ઉચ્ચારવાનું સાહસ ન કરતું ! મુનિ ધર્મસિંહજીને આ ઉત્તરથી– ' ' '' (MC ડરપોક { S TE Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy