SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકવિ વિમલસૂરિ અને તેમનું રચેલું મહાકાવ્ય પઉમરિય તેમની ટીકામાં પણ નાઇલ ’” માટે “ નાગેન્દ્ર ' એમ લખ્યું છે. આ ઉપરથી સ્વપ્રત્યયતૈયબુદ્ધિ સુજ્ઞ વાચકવૃંદ સમજી શકશે કે નાઈલ અને નાગેન્દ્રમાં ભેદ છે જ નહિ. (( મહાકવિ વિમલર પેાતાને નાઇલકુલવંશદિનકર ' કહેવરાવે છે તે ખરેખર સ્થાને જ છે. પઉમરિયનું અંતરંગ અને અરિંગ પરીક્ષણ કરવાથી જરૂર કોઇપણ જિજ્ઞાસુને ઉપર્યુક્ત વિશેષણુ આત્મશ્લાઘાત્મક તરીકે નહિ પણ અક્ષરશઃ સત્ય જ છે એવા યાથાતથ્યનું ભાન થશે. વિમલસૂરિએ તેમના પેાતાના વિષે જરા વધારે માહિતી આપણને આપી હોત તા જરૂર તેમનાં વિષેનું આપણું જ્ઞાન સ્ફુટતર થયુ હેત, પણ હાલમાં તે આપણે આટલેથી જ સતેષ માનવાના છે. કથા કહી. ’’ હવે આપણે જોઇએ કે પઉમચરિયની કથા આચાર્ય પરંપરામાં કેવી રીતે ઉતરી આવી અને ઉત્તરાત્તર કેવી રીતે જળવાઇ રહી. પ્રથમ તા ભગવાન મહાવીરે પેાતાના ગણુધરેશને આ કથા કહી સંભળાવી. પઉમરિયમાં લખ્યું છે કે “ ભગવાન મહાવીરના મુખારવિંદમાંથી જે કથાપ્રવાહ શરૂઆતમાં વહ્યો તે રસસરિતાનું ઉતરી આવી, સંધ-પાન ગણધરાએ કર્યું. પછીથી તેઓએ ખીજાએને સંક્ષેપમાં કહ્યું.” પર્ફોમ( ત થઈને કેવી રીતે ચરિયમાં અનેક સ્થાએ લખેલું છે કે- ત્રિશલાપુત્રે આ જળવાઈ રહી, વિમ- વીર ભગવાને પહેલાં આ કથા કહી. '' વિગેરે વિગેરે. મહાવીર ભગવાને લસૂરિએ કેવી રીતે મુખ્યતયા, ગણુધરશ્રેષ્ઠ ઇન્દ્રભૂતિને આ કથા કહી સંભળાવી ત્યારપછી ઉત્તમ પ્રેરણા-પીયૂષ પીધું. સાધુપુરુષાએ આ કથાનું સંવર્ધન અને સંરક્ષણ કર્યું. પઉમરિયમાં અનેક વિગેરે સ્થળાએ શ્રેણિક રાજા ગણધરમુખ્ય ઇન્દ્રભૂતિને પઉમચરયની કથા કહેવા વિનતિ કરે છે. પછીથી ગૌતમસ્વામી શ્રેણિક રાજાની અભિલાષા પૂરી પાડવા માટે પઉમચરયની કથાનું તે રાજાને શ્રવણ કરાવે છે. પઉમચરયમાં ઘણીવાર વાંચવામાં આવે છે કે “ હે મહાયશવાળા ગૌતમસ્વામી ! પઉમરિય સંપૂર્ણ પણે શ્રવણ કરવાની મારી આકાંક્ષા છે ! '' ઉપર કહ્યા પ્રમાણે આ કથા ઇન્દ્રભૂતિએ તેમના શિષ્યાને કહી સંભળાવી અને પછીથી ક્રમશઃ આચાય પર પરામાં આ કયા ઉતરી આવી. પઉમચયની કથા જેનામાં કેવી રીતે Jain Education International " મહાકવિ વિમલસૂરિના સમયમાં પણ આ કથા ઘણી જ રસપ્રદ હતી. ઘણા કવિઓએ પોતાની લેખિની અજમાવી જોઈ હતી. જે રસસિંધુમાંથી ગણધરશ્રેષ્ઠ ઇન્દ્રભૂતિ જેવાને પ્રેરણાપીયૂષ મળ્યું તે જ રસસિંધુમાંથી રસપાન કરવાનું કયા ભારતીય કવિને મન થાય નહિ ? પઉમચરયમાં આ રસસ્ત્રોતમાંથી રસ ઝીલવાના પ્રયાસનું આલંકારિક શૈલીમાં જે સુંદર ખ્યાન આપ્યું છે, તે આ છે કે “ મહાવીરરૂપી શ્રેષ્ઠ હસ્તીએ પઉમચરિયરૂપી પાડેલા માર્ગમાં હજીસુધી અન્ય કવિકુંજરે। પરંપરાએ જઇ રહ્યા છે, '' આગળ ચાલતાં વિમલસૂરિ સ્વપ્રયત્નના વર્ણનમાં કહે છે કે “ કવિવરરૂપી હસ્તીના મદના લેાભવાળા એવા હું, મધુકરની જેમ, માર્ગમાં પગ અને મદનાં ઝરતાં બિન્દુ તરફ નજર રાખીને તે જ માગે વિચર્યાં. આ ઉપરથી આપણે જાણી શકીશું કે પઉમચરિયની કથાએ તે સમયમાં જૈતેનાં મન કેવાં આકર્ષી લીધાં હતાં. ઉપર્યુક્ત કથન પ્રમાણે અનેક જૈનકવિઓએ પઉમચરિયની કથાને અપનાવી લીધી હતી. પઉમચિરયના કર્તા મહાકવિ વિમલસૂરિએ પણ તે પ્રમાણે જ પ્રયત્ન કર્યાં હતા. તે જ પ્રયત્નના સુંદર કલરૂપે હાલમાં આપણી પાસે પઉમચરિય ઉપલબ્ધ છે. "" *૧૦૨ * For Private & Personal Use Only [ શ્રી આત્મારામજી www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy