SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ -મહેાત્સવ-ગ્ન થ જેણે જેણે આવડા મેાટા સંઘની વાત સાંભળી હતી તે મધા જ તાબૂમ થયા; તે પછી ગુજરેશ્વર કઈ જુદી માટીના ઘેાડા જ હતા ! તે પણ તાબૂમ કે કેવી નવાઈની વાત છે કે અઢી લાખ માણસેને આ સંઘ છે! થયા. એમનેય થયુ ૨૨૮ “ આટલી મેાટી જનમેદ્યનીના અધિનાયક કાણુ હશે ભલા?” સારંગદેવે પેાતાના પ્રધાનને પૂછ્યું. “ મહારાજ ! આવા વિશાળ સંઘના સધપતિ ઝાંઝણકુમાર છે. માલવ દેશના માંડવગઢ રાજ્યના મહામત્રીશ્વર સ્વનામધન્ય પેથડકુમારના તેએ ધસી` પુત્ર છે. પેથડકુમાર તેા એવા ધર્માત્મા હતા કે એમણે બત્રીસ વર્ષોની ભરયુવાનીમાં બ્રહ્મચ વ્રત જેવું કઠાર વ્રત અંગીકાર કર્યું" હતુ! તેમણે એઢેલું વસ્ત્ર રોગીને પહેરાવતાં રાગ ચાલ્યા જાય એવી તા એમની ધાર્મિકતાની નામના હતી. તે ખરેખરા ધાર્મિક શિરામણ અને પુણ્યવાન મહાપુરુષ હતા. આજના સંઘના સ`ઘપતિ ઝાંઝણકુમાર એમના પુત્ર છે અને તેએ પણ ખૂબ ધમી છે.” ગુજરેશ્વર આ પ્રશ'સા વિસ્ફારિત નયને સાંભળી જ રહ્યા. તેમને થયું કે આ સંઘને તેા નજરે નીરખવા જ જોઈ એ. અને સંઘનાં દર્શન અને સ્વાગતની એમની ભાવના વધુ પ્રમળ મની. સઘના આગમનના સમાચાર આવ્યા એટલે રાજા અને પ્રજા બધાં ખૂબ રાજી થયાં. સત્ર આવા મેાટા અભૂતપૂર્વ સંઘના સ્વાગતના ઉમરંગ પ્રવતી રહ્યો. રાજા સારંગદેવે પોતાના મંત્રીશ્વરને એલાવી સધપતિ તથા સંઘનું ચેાગ્ય સન્માન કરવાની, નગરમાં તેમના પ્રવેશ મહેાત્સવ કરાવવાની તથા રાજમહેલમાં તેમને લઈ આવ વાની આજ્ઞા કરી. બીજા દિવસે જયારે એક પ્રહર લગભગ વીતી ગયેા ત્યારે સંધ કર્ણાવતીના પાદરે આવી પહેાંચે. નગરનાં તથા આસપાસનાં જિનચૈત્યેા જુહારવા તથા શ્રમણ ભગવાને વદના કરવા માટે સધ અહી ચાર દિવસ રાકાવાના હતા. નમતી સધ્યાએ ગુર્જરેશ્વર સારંગદેવ સંઘપતિના તંબૂમાં આવ્યા. સંઘપતિની બેઠક એક રાજરાજેશ્વર જેવી હતી. અદ્ભુત અને તેજસ્વી એમનું લલાટ હતું. અહુમૂલ્ય અને ભાગ્યે જ જોવા મળે એવા અલંકારોથી તેએ સુશેાભિત હતા. અતિશય નાજુક દેહલતાવાળી અને આરસમાંથી કડારેલી દેવાંગનાએ સમી ચામરધારિણીએ તેમને ચામર વીઝી રહી હતી. છત્રધર જરાય હાલ્યાચાલ્યા વિના તેમને છત્ર ધરીને ઊભેા હતા. શ્રેષ્ઠીએ અને સામતા તેમના અને પડખે મદબાપૂર્વક બિરાજતા હતા. ગુજરેશ્વર પેાતાને મળવા આવી રહ્યા છે એ સમાચાર સાંભળતાં જ સંઘપતિ ઝાંઝણકુમાર પાતે ઊઠીને ગુજરેશ્વરનું સન્માન કરવા સામે ગયા. બંનેએ પરસ્પરનુ અભિવાદન કર્યું. રાજવીએ સંઘપતિના તથા સોંધના કુશળ માંગલ પૂછ્યા. ‘ અમારા પ્રદેશમાં આપને કશી તકલીફ તેા નથી પડી ને ? ’ એ પ્રશ્નના જવાબમાં સ`ઘપતિએ ગુજરે શ્ર્વરની પ્રસન્ન નજરને કારણભૂત ગણાવી. મીઠી પ્રેમભરી વાતા શરૂ થઈ અને સૌ આનવિભાર બની ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy