SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુબોધચંદ્ર નાનાલાલ શાહ : રાજ્યવાત્સલ્ય ૨૨૭ આચાર્ય મહારાજ શ્રી ધર્મઘોષસૂરિજીની નિશ્રામાં, શત્રુંજય મહાતીર્થની યાત્રા માટે મંગલ પ્રયાણ કર્યું. - અઢી લાખ મનુષ્યોને એ સંઘ જ્યારે પિતાના ડેરાતંબૂ ઉપાડીને ચાલતે ત્યારે જે દશ્ય સર્જાતું તે એવું હતું કે જે નજરે જોવું એ પણ એક લહા હતા. સંઘ પણ કે મોટો ! જ્યાં સંઘને પડાવ થાય છે ત્યાં એક વિશાળ નગર વસી જાય છે. સંઘની સગવડ સાચવવા અને ભક્તિ કરવા ઝાંઝણકુમાર, એમના સાથીઓ અને સેંકડે શ્રેણીઓ ઊભે પગે ખડા રહે છે. અનંતજ્ઞાની-સર્વજ્ઞ ભગવાને સંઘને તીર્થ કહીને અને એને નમસ્કાર કરીને એને મહિમા વધાર્યો છે. આવા જંગમ તીર્થની ભક્તિ કરવાને આ અપૂર્વ અવસર ફરી મળ્યો કે મળશે ! સંઘને માર્ગમાં આવતાં રાજ્યના રાજાઓ, ઠાકોરો, મંત્રીઓ, મહાજને અને શ્રેષ્ઠીઓ પણ સંઘનું સ્વાગત-બહુમાન અને સંઘની ભક્તિ કરવામાં જરા પણ પાછી પાની કરતા નથી. સૌ હોંશે હોંશે સેવા કરવા દેડી આવે છે. સૌને મન જીવનને આ એક અમૂલ્ય લહાવો છે. - યાત્રાળુઓ નિત્યનિયમ મુજબ દેવદર્શન-પૂજન કરી શકે એ માટે બાવન બાવન તે વિશાલ જિનાલયે સાથે રાખવામાં આવ્યાં હતાં. હજારો વાહને, ઘોડા, બળ અને સુખાસને વગેરેથી તેની વિરાટતા વધુ ને વધુ લંબાતી જતી હતી. માન્યામાં ન આવે તેવું એ દશ્ય હતું. જોકે કહેતા કે આવડે માટે સંઘ તે વળી હતો હશે? તે ખાતે ક્યાં હશે? આટલા મોટા સમૂહને ખવડાવતું કેણ હશે? એને સૂવા-બેસવાની સગવડ શી હશે? પણ આ બધા સવાલો ત્યાં સુધી જ ટકતા કે જ્યાં સુધી સંઘનાં પ્રત્યક્ષ દર્શન કરવાનો અવસર ન મળતું. જ્યાં એ દશ્ય પ્રત્યક્ષ જોવા મળતું ત્યાં આ બધા પ્રશ્નો સ્વયમેવ શાન્ત થઈ જતા. સંઘના એક છેડેથી બીજે છેડે પહોંચવા માટે પગે ચાલનારને ખાસા ૩-૪ કલાક થાય એવો વિરાટ આ સંધ હતો. આ સંઘ ગુજરાતમાં થઈ સૌરાષ્ટ્ર દેશમાં જવાને હતું. અને ત્યાં જેના અણુએ અણુ પાપીઓનેય પાવન કરી દેવાની શક્તિ ધરાવે છે તેવા પરમ તારક તીર્થાધિરાજના મસ્તક પર બિરાજમાન મુકુટમણિશા ભગવાન યુગાદીશ્વરને મનભરી નીરખવાની અને તે તારકની પૂજા-અર્ચા કરવાની ભાવના સેવતો હતે. - સંઘની અને ઝાંઝણકુમારની ભાવના સફળ થઈ માર્ગમાં આવતાં બધાં ધર્મતીર્થોની અને છેવટે તીર્થાધિરાજ શત્રુંજય મહાગિરિરાજની ઉલ્લાસપૂર્વક યાત્રા કરીને, અને ઝાંઝણકુમારને સંઘપતિપદને અભિષેક કરીને સંઘ પાછા ફરી રહ્યો હતો. પાછાં ફરતાં પણ સંઘમાં એ જ ધર્મરંગ પ્રવર્તતો હતો. જાણે ત્યાં ધર્મનું જ સામ્રાજ્ય પ્રવર્તતું હતું, અને બધા યાત્રિકો એ ધર્મનગરીના વસનારા હતા. પાછા ફરતાં માર્ગમાં ગુજરાતનું જૂનું પાટનગર કર્ણાવતી આવતું હતું. કર્ણાવતી તે વખતે પંકાયેલ નગરી હતી, અને પુરાણપ્રસિદ્ધ સાબરમતી નદીને કિનારે વસી હતી. ત્યારે ત્યાં રાજા સારંગદેવનું શાસન પ્રવર્તતું હતું. ગુજરાતનું રાજ્યશાસન નબળું પડવું હતું, છતાં ગુજરાતને રાજા ત્યારે એ જ ગણુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy