SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ : ક્ષેમરાજ ૫૩ ભીમદેવની ઉત્તર વયને કાળે રાજ્યકાર્ય પ્રતિ મંત્રીઓ લક્ષ આપતા અને રાજકુમાર ગુર્જરેશ્વરને સહાયક બનતા. જરૂર પડે ત્યારે ભીમદેવ પુત્રો દ્વારા મંત્રીઓને પોતાની ઈચ્છા વિદિત કરતે અને મંત્રીઓ તદનુસાર વર્તતા. ભીમદેવ હવે આજ્ઞાઓ આપવાનું છેડીને બહુધા સ્વેચ્છા જ પુત્ર કે મહામંત્રી સમક્ષ વ્યક્ત કરતે. માલવ પ્રદેશમાં વિહાર પૂરે થતાં મુનિ સુરાચાર્ય પાટણમાં આવ્યા કે તુરત તે ભીમદેવના કુશળવર્તમાન જાણવા રાજમહાલયમાં જઈ પહોંચ્યા અને રાજસેવક દ્વારા ધર્મલાભને સંદેશે કહાવ્યા. સુરાચાર્ય પ્રત્યે ભીમદેવનો ભક્તિભાવ હતે. એ ભક્તિ ધર્માનુરાગ કરતાં ગુણાનુરાગને વિશેષ આભારી હતી. મુનિ સુરાચાર્ય પરમ પંડિત હતા, દર્શનશાસ્ત્રના જ્ઞાતા હતા, અને સાહિત્યશાસ્ત્રમાં નિપુણ હતા. તેમના ગુરુ મુનિ દ્રોણાચાર્ય સંસારપક્ષે ભીમદેવના મામા થતા હતા. તે વિદ્યમાન હતા ત્યારે સુરાચાર્ય મુનિ ગુરુ સંગાથે ભીમદેવના પરિ. ચયમાં આવ્યા હતા. ભેજરાજાના પંડિતો કઈ કઈ વાર ગુર્જરેશ્વરના પંડિતેની પરીક્ષા કરનારી સાહિત્ય સમસ્યાઓ રાજસભામાં મોકલતા, ત્યારે એ સમસ્યાઓના ઉત્તરો કેટલીક વાર સુરાચાર્ય મુનિએ રચેલા લોકોમાં જતા. એ મુનિએ ભેજની રાજસભામાં પણ પંડિ સાથે સાહિત્યચર્ચા કરીને પ્રશંસા પ્રાપ્ત કરી હતી. મુનિના આગમનને સંદેશો મળતાં ભીમદેવ ઢિલિયામાં સૂતો હતો તે બેઠો થયો. તેની સામે બિછાવેલી ગાદી પર મહામંત્રી ભાભ, પુરોહિત સેમેશ્વર અને યુવરાજ ક્ષેમરાજ બેઠા હતા તેઓ જરા આઘા ખસ્યા અને ભીમદેવે સેવકને કહી મુનિ માટે વચ્ચેવચ કાષ્ઠાસન મુકાવ્યું. પછી તેણે મુનિને પધારવાને પ્રત્યુત્તર પાઠવ્યું. ધર્મલાભ” ઉગારતા સુરાચાર્ય મુનિ આવ્યા એટલે ભીમદેવે ઊભા થઈ મસ્તક નમાવી વંદન કર્યું, અને બીજાઓએ પણ ઊભા થઈ તેનું અનુકરણ કર્યું. મુનિ આસન પર વિરાજ્યા એટલે બધા યથાસ્થાને બેઠા. | મુનિએ ભીમદેવની કુશળતા પૂછતાં કહ્યું : “નગરમાં આવતાં જ મેં સાંભળ્યું કે આપનું સ્વાચ્ય બરાબર રહેતું નથી, એટલે હું માત્ર આપની કુશળતા જાણવા આવ્યો છું.” જરાઅવસ્થા પિતાનું કામ કરે છે.” ભીમદેવે સ્વસ્થતાથી ઉત્તર આપે: “કુમારે, મંત્રીઓ અને રાજસેવકે મને શ્રમ પડવા દેતા નથી એટલે સ્વસ્થ રહી શકાય છે.” મૂનિ બેલ્યા: “તે સારું છે. હવે જરાઅવસ્થા આવી છે એટલું જે મનુષ્ય સમજે છે તે પુણ્યશાળી લેખાય છે.” પુરોહિત વચ્ચે બોલ્યા: “વસ્તુતઃ શક્તિની ક્ષીણુતા દ્વારા જરા પ્રકટ થાય છે, અને જો એ ક્ષીણતા નિવારવાના આયુર્વેદે નિરૂપેલા ઉપચાર કરવામાં આવે તે જરાને નિવારી શકાય છે.” - મહામંત્રી બેઃ “અને મુનિરાજ ! મહારાજ કઈ ઔષધ લેવાની ના કહે છે, એટલે ક્ષીણતા વધતી જાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy