SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વડનગરને નાગર જૈન સંઘ ઃ ૮૫ કાગળ ઉપર લખાયેલો આ વિજ્ઞપ્રિલેખ અતિજીર્ણ હોવાથી તેને ઉકેલતાં ટુકડા થઈ જાય તેવી હાલતનો હતો. તેથી તેના ઉપર નેશનલ અકઈઝ-ન્યુ દિલ્હીમાં પારદર્શક કપડું ચડાવેલું છે. તેની કુલ લંબાઈ ૭ ફૂટ ને ૪ ઈંચ તથા પહોળાઈ ૯ ઇંચ છે. તેને બે વિભાગમાં વિભક્ત કરી શકાય : ૧. ચિત્રવિભાગ અને ૨. લેખવિભાગ. ચિત્રવિભાગની લંબાઈ ૨ ફૂટ ને ૯ ઈચ એટલે કે ૩૩ ઈચ છે, શેષ લેખવિભાગની લંબાઈ ૪ ફૂટ ને ૭ ઈચ છે. ચિત્રવિભાગનો પરિચય આ પ્રમાણે છે–પ્રારંભમાં ૧૪ ઇંચ લંબાઈમાં તીર્થકર ભગવાનના જન્મસૂચક ૧૪ સ્વમો છે. ત્યાર પછીની ૪ ઈચની લંબાઈમાં આચાર્યશ્રીને વિનીતભાવે વંદન કરતા ચાર શ્રાવકોનાં રૂપ છે. તે પછી પા ઈચની લંબાઈમાં બાજોઠ ઉપર બેસીને ધર્મોપદેશ કરતા આચાર્ય, તેમની પાછળ બાજોઠ ઉપર બેઠેલા એક શિષ્ય, તેમની સામે વિનીતભાવે હાથ જોડીને બેઠેલા બે શ્રાવકો તથા વંદનક્રિયાપ્રવૃત્ત બે શ્રાવિકાનાં ચિત્રો છે. અને તેના પછીની ૯ ઈચની લંબાઈમાં આલેખાયેલા સામૈયાના પ્રસંગમાં નર્તક. મૃદંગવાદક, તાલવાદક તથા ભૂંગળવાદકની આકૃતિઓ અને હાથી ઉપર બેઠેલા બે પુષની આકૃતિઓ છે. આમ કુલ ૩૩ ઈચમાં ચિત્રવિભાગ પૂર્ણ થાય છે. આ ચિત્રવિભાગમાં આવતાં પુરુષ-સ્ત્રીઓનાં ચિત્રો ગુજરાતની તત્કાલીન વેશભૂષાનાં સૂચક છે. શેષ વિભાગમાં વિજ્ઞપ્રિલેખ આવેલો છે. લેખની લિપિ દેવનાગરી હોવા છતાં ક-બ-છ જેવા ગુજરાતી અક્ષરો પણ કોઈ કોઈ વાર લખેલા છે. લેખમાં આવતાં કોઈક સંસ્કૃત રૂપોને તે સમયની ગુજરાતી ભાષાની એક પ્રકારની શૈલીરૂપે જ સમજવાં. આવા પ્રયોગો વિક્રમના ૨૦મા શતક સુધી થતા આવ્યા છે એટલું જ નહીં, આજે પણ ગુજરાતમાં ગુજરાતી ભાષામાં લખાતી જૈન ધાર્મિક કંકોત્રીઓમાં “શ્રી પાર્શ્વજિન પ્રણમ્ય” જેવા સંસ્કૃત પ્રયોગો લખાય છે. વાચકોને લેખની ચિત્રશૈલી અને લિપિના આકાર-પ્રકારનો ખ્યાલ આવે તે માટે તેની પ્રતિકૃતિ અહીં આપી છે. ૧૦૫ પંક્તિઓમાં લખાયેલા આ વિજ્ઞપ્રિલેખની ભાષા અને જણ તે સમયની સર્વસાધારણ વ્યવહારુ શૈલીની છે તેથી એતદ્વિષયક અભ્યાસીઓને ઉપયોગી થાય એ દૃષ્ટિએ મૂળ લેખને સંપૂર્ણ ઉતારો તેના લેખકની જોડણી મુજબ અક્ષરશ: અહીં આપું છું ૫૦– (पंक्ति-१):॥ स्वस्ति श्रीआदेजन प्रणंम्यः स्वस्ति श्रीसांतज(२)नं प्रणम्य स्वस्ति श्रीनीमजन प्रणांम्य स्वस्ति श्रीपा(३)रस्वजन प्रणम्य स्वस्ति श्रीवीरजंन प्रणम्य अंनक (४) वाव बन कूआ तलाव श्रीजनप्रसादसीपरसोभी(५)त श्रीपूजिचरणरेणुंपागपूते श्रीमती श्रीनाराएणा(६)नगरे पूजाराद्धतमोतमां परमपूज अरचनीआं(७)न् चारित्रपात्रचुडामणी कूमतांधकारनभोम(८)णी सकलसाधशीरोमणी एकविधश्रीजना(९)ज्ञाप्रतीपालक दुविधधरमना परूपक त्रण तत्व(१०)ना जांण चार कषाएना जीपक पंच महाव्रतना (११) पालक छ काएना पीहर सात भयना नीवारक (१२) अष्टमदचुरक नववाडसहित भ्रमचर्यना (१३) धारक दसवीध जतीधरमना परूपक अगीआ(१४)र अंगना जांण बार उपांगना उपदेशक तेर का(१५)ठीआनीवारक चउदविदागुणजांण पनरभे(१६)दशीधना परूपक सोलकलासंपूरणससीव(१७)दन सतरभेदसंजमना पालक अढारसहेस(१८)शीलांगरथना धारक श्रीज्ञातासुत्रना ओ(१९)गणीस अधेनना परूपक ૫૦ વિજ્ઞપ્રિલેખની વાચનામાં આપેલાં ચિહ્નોની સમજ આ પ્રમાણે છે : () આવા કોષ્ટકના મધ્યમાં લખેલા “૧-૨ આદિ અંકો તે તે સંખ્યાવાળી મૂળ લેખની પંક્તિના પ્રારંભ સૂચક છે. ( ) આવા જ કોષ્ટકના મધ્યમાં આપેલા અક્ષરો તેના આગળના અશુદ્ધ અક્ષરોના બદલે મેં માનેલા શુદ્ધ અક્ષર છે. અને [ ] આવા કોષ્ટકમાં આવતો પાઠ મેં ઉમેરેલો છે. અહીં અશુદ્ધના બદલે મૂકેલા શુદ્ધ પાઠની તથા ઉમેરેલા પાઠની ભાષા-જોડણી મળલેખકની ભાષા-જોડણીને અનુસરીને મૂકી છે. આ વિજ્ઞપ્તિલેખનો અક્ષરશઃ અનુવાદ આપેલો છે તેથી લેખગત અપભ્રષ્ટ શબ્દોના શુદ્ધ શબ્દો અભ્યાસી વર્ગ સહજ સમજી શકશે તે કારણથી તેવા પ્રત્યેક શબ્દ ઉપર અલગ ટાંચણ નથી આપ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy