SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ વડનગરનો નાગર જૈન સંઘ ઃ ૮૩ આવતા. પ્રસ્તુત કહુઆમતિગચ્છના આદ્ય પ્રવર્તક કડુઓ શાહનડોલાઈ ૨ – નાડોલાઈ (નાડલાઈ-રાજસ્થાન) ગામના વતની અને નાગર જ્ઞાતિની વૃદ્ધાશાખામાં થએલા કાન્હજીના પુત્ર હતા. તાત્પર્ય એટલું જ કે જૈનધર્માનયાયી નાગર વણિકોમાં પોતાનો સ્વતંત્ર મત ચલાવી શકે તેવી વગવાળી વ્યક્તિ પણ થયેલી છે. આ કઆ શાહ વડનગરનિવાસી હતા તેવું વિધાન પણ મળે છે.ર ? વિ. સં. ૧૭૯૭માં રચાયેલા શ્રી જ્ઞાનસાગરજીકૃત “ગુણવેમરાસરની પ્રશસ્તિમાં અંચલગચ્છીય શ્રી મેરૂતુંગસૂરિએ નાગર વાણિયાને જેન બનાવ્યાનો ઉલ્લેખ મળે છે ? તેથી શ્રી મેરૂતુંગરિએ અમુક નાગર વણિકોને જૈનધર્મનુયાયી બનાવ્યા હશે એટલું જ સમજવું જોઈએ. શ્રી મેરૂતુંગસૂરિના પહેલાં વિક્રમના બારમાથી પંદરમા શતકના ઉલ્લેખોનો પ્રસ્તુત લેખમાં મેં સ્થળનિર્દેશ કર્યો છે એમાં નાગરગચ્છ, નાગરવંશ, નાગરજ્ઞાતિ, નાગરવણિક વગેરે શબ્દો મળે છે તે ઉપરથી જાણી શકાશે કે શ્રી મેરૂતુંગસૂરિના પહેલાં પણ જૈનધર્માનુયાયી નાગર વણિકો હતા. મારા સંક્ષિપ્ત અવલોકનમાં પ્રાપ્ત થયેલ સામગ્રીમાં જૈનધર્માનુયાયી નાગરી સંબંધી વિવિધ નિવાસસ્થાન, શાખાઓ, ગોત્રો અને અટકોની માહિતી નીચે મુજબ છે : નિવાસસ્થાનો ઃ સોઢલાઈ ૩ (સુંઠાઈ-વડનગર પાસે), પેથાપુર, કુકરવાડા, વડનગર , ખંભાતર૭, અને પિલ્લાહિકાર ૮ (પીલવાઈ. આ છ ગામ-નગરો ગુજરાતમાં જ આવેલાં છે તેથી ગુજરાતમાં જૈનધર્માનુયાયી નાગરો ઠીક ઠીક પ્રમાણમાં હશે તેમ જાણી શકાય છે. આ ઉપરાંત ઉછૂણકર ૯ નગર તે ડુંગરપુર પાસે અર્થણા છે તેનું પ્રાચીન નામ છે. આ સ્થળને ગુજરાત-રાજસ્થાનની સીમા ઉપરનું કહી શકાય. તથા ડોલાઈ(નાડલાઈ) રાજસ્થાનમાં આવેલું છે. શાખાઓ નાદીનાગરશાખા, વૃદ્ધશાખાર, અને લઘુશાખા . ગોત્રો : ભદ્રસિઆણું ગોત્ર, કાઠિયાવી ગોત્ર, અને રા(૮) ૬ ગોત્ર. ૨૦ જુઓ પદ્મશ્રી મુનિશ્રી જિનવિજયજસંપાદિત, સિંધીનગ્રન્થમાલા દ્વારા પ્રકાશિત “વિવિધગચ્છપાવલિસંગ્રહ’ના પૃ૦ ૧૨૧થી શરૂ થતી “કહુઆમતગપટ્ટાવલિ'નો પ્રારંભ તથા પૃ૦ ૧૫૬ થી શરૂ થતી “કડુઆમતિગરછલઘુપટ્ટાવલિ'નો પ્રારંભ. જુઓ ઉપરનું પુસ્તક, પૃ૦ ૨૧૯. અહીં કહુઆમતિગચ્છનો પ્રારંભ વિ. સં. ૧૫૬૨ માં લખ્યો છે તે બરાબર નથી લાગતો; સંભવ છે કે કદાચ સં. ૧૫૨૬ નો અંકવિપસ થયા હોય. ૨૨ જુઓ શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સંપાદિત જેન ગુર્જર કવિઓ ભા૦ ૨' પૃ. ૧૭૮. ૨૩ જુઓ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિસંપાદિત “ જેનધાતુમતિમાલેખસંગ્રહ ભા. ૧' લેખાંક ૩૦૬ (સં. ૧૫૦૯). ૨૪ જુઓ ઉપરનું પુસ્તક લેખાંક ૬૪૦ (સં. ૧૫૬૦). ૨૫ જુઓ મુનિરાજ શ્રી વિશાલવિજયજસંપાદિત “રાધનપુરપ્રતિમાલેખસંદોહ” લેખાંક ક૨૪ (સં. ૧૫૬૪), ૨૬-૨૭ જુઓ મુનિ જિનવિજયજસંપાદિત “ પ્રાચીન જેનલેખસંગ્રહ ભાવ ૨ લેખાંક ૪૫૧ (સં. ૧૬૪૯). ૨૮ જુઓ પદ્મશ્રી મુનિશ્રી જિનવિજયજી સંપાદિત “ જેનપુતકપ્રશતિસંગ્રહ ' પૂ૦ ૯૩ (વિક્રમના ૧૫મા શતકથી પછી નહિં). ૨૯ જુઓ શ્રીમાણક્યચંદ્ર દિગંબરનગ્રંથમાલાપ્રકાશિત “ જેનલેખસંગ્રહ ભાવ ૩ લેખાંક ૩૦૫ ૨ (સં૧૧૬ ૬). ૩૦ જુઓ પદ્મશ્રી મુનિશ્રી જિનવિજયજીસંપાદિત “વિવિધગછપાવેલી સંગ્રહ’ પૃ૦ ૧૨૧ તથા પૃ૦ ૧૫૬. જુઓ મુનિશ્રી દર્શનવિજયજીસંકલિત “જૈનપરંપરાનો ઇતિહાસ ભાવ ૨” પૃ૦ ૭૨૨. ૩૨ કહુઆમતિ પ્રવર્તક કહુઆ શાહ આ શાખાના હતા (સં. ૧૫૨ ૪). ૩૩-૩૪ જુઓ મુનિશ્રી જિનવિજયજસંપાદિત “પ્રાચીન જૈનલેખસંગ્રહ ભાટ ૨' લેખાંક ૪૫૧ (સં. ૧૬૪૯). ૩૫ જુઓ શ્રીમદ બુદ્ધિસાગરસૂરિસંપાદિત “ જૈનધાતુપ્રતિમાલેખસંગ્રહ ભાટ ૧” લેખાંક ૨૫૧ (રાં૦ ૧૪૨૨). ૩૬ જુઓ મુનિરાજ શ્રી વિશાલવિજયજસંપાદિત “રાધનપુરપ્રતિમાલેખસંદોહ' લેખાંક ૨૨ ૭ (સં. ૧૫૨૦). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy