SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ પૃથક્ પૃથક્ પ્રતિમાઓ કરાવ્યા ઉપરાંત સમૃદ્ધ નાગરશ્રેષ્ઠીઓએ ઉત્તુંગ જિનમંદિરો કરાવ્યાના ઉલ્લેખો નીચે આપું છું : વડનગરના વતની નાગરજ્ઞાતિની લઘુશાખાના ભદ્રસિઆણાગોત્રમાં થયેલા ગાંધી દેપાલના પ્રપૌત્ર બાહુ શ્રેષ્ઠી દ્રવ્યોપાર્જન કરવા માટે વડનગર છોડીને ખંભાત આવેલા અને અતિધનાઢ્ય થયેલા. તેમણે વિ॰ સ૦ ૧૬૪માં કાવીતીર્થમાં યુગાદિન્જિનનો સર્વજિત્ નામનો જિનપ્રાસાદ (બાવનજિનાલય મંદિર) અનાવ્યો હતો અને તેની પ્રતિષ્ઠા તપાગચ્છીય આચાર્ય શ્રી વિજયસેનસૂરિજીએ કરાવી હતી. ૧૫ ત્યાર પછી પાંચ જ વર્ષના અંતરમાં ખાટુ શ્રેષ્ઠીના પુત્ર કુંવરજી શ્રેષ્ઠીએ કાવીમાં જ શ્રી ધર્મનાથજી ભગવાનનો રત્નતિલક નામનો જિનપ્રાસાદ (બાવનજિનાલય મંદિર) બંધાવ્યો હતો.૧૬ આ એ મહાપ્રાસાદો આજે પણ મોજૂદ છે અને સાસુ-વહુનાં મંદિરો’ના નામે ઓળખાય છે. ધાંધા નામના નાગરશ્રેષ્ઠીએ લખાવેલા કપસૂત્રની પ્રશસ્તિમાં૧૭ ધાંધાના પિતા આનંદશ્રેષ્ઠીએ પિલ્લાહિકા (પીલવાઈ—ગુજરાત) ગામમાં જૈનમંદિરનો જીણુંંદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ છે. દિગંબરપરંપરાનુયાયી નાગર વણિકો પણ હતા તેનાં બે ઉદાહરણ અહીં જણાવું છું.-૧. વિ સં૦ ૧૧૬૬માં માથુરાન્વય છત્રસેનગુરુના ઉપાસક ભૂષણ નામના નાગરશ્રેષ્ઠીએ ઉચ્છ્વણુકનગરમાં જિનમંદિર ખૂંધાવ્યાનો શિલાલેખ મળે છે.૧૮ તથા ૨. વિ॰ સં૦ ૧૬૨૮માં લસંઘીય આચાર્ય શ્રીસુમતિકીર્તિગુરુના ઉપદેશથી નાગરજ્ઞાતીય પનાનામના શ્રેષ્ઠીએ શ્રીપાર્શ્વનાથ ભગવાનની ધાતુપ્રતિમા કરાવ્યાનો ઉલ્લેખ મળે છે.૧૯ દિગંબરસાહિત્ય તથા સંદર્ભગ્રંથોનું અન્વેષણ કરવાથી એદ્વિષયક વિશેષ ઉલ્લેખો મળી શકે જ. યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિસંપાદિત (વિ॰ સં॰ ૧૯૭૩માં પ્રકાશિત) જૈનધાતુપ્રતિમાલેખસંગ્રહ”ના પહેલા ભાગની પ્રસ્તાવનાના ૧૨મા પૃષ્ઠમાં જણાવ્યું છે કે “દિગંબરો તથા શ્વેતાંબરોમાં મધ્યપ્રાંત, દક્ષિણ વગેરેમાં કેટલાક નાગર જૈનધર્મી છે.” આથી ટૂંકમાં એમ કહી શકાય કે, દિગંબર અને શ્વેતાંબર પરંપરામાં પ્રાચીન સમયથી આરંભી વિક્રમના વીસમા શતક સુધી નાગર કુળો હતાં. ઉક્ત પ્રસ્તાવનામાં નાગરોને લગતી અન્ય હકીકતોનો પણ નિર્દેશ છે. વિ॰ સં॰ ૧૫૨૪માં શ્વેતાંબરપરંપરામાં કઠુઆમતિગચ્છનો ઉદ્ભવ થયો. આ ગચ્છમાં સાધુવેષનો નિષેધ છે. ધર્મગુરુઓ ગૃહસ્થવેષે જ રહેતા અને તેમને તેમના નામની સાથે ‘ શાહજી ’ કહીને સંબોધવામાં આ ઉપરાંત વિધિપક્ષ(અંચલ)ગચ્છીય મહોટી પટ્ટાયલી ભાષાંતર 'માં નાગર ઉપાસકોએ કરાવેલી અને શ્રી કીર્તિસૂરિ-જયકેશŔસૂરિ આદિ આચાર્યો દ્વારા પ્રતિષ્ઠિત અનેક ધાતુપ્રતિમાઓનો નિર્દેશ કરેલો છે, જુઓ પૃ૦ ૨૩૧, ૨૩૭-૩૮. મલધારગચ્છ : જુઓ મુનિરાજશ્રી વિશાલ વિ॰ સંપાદિત ‘રાધનપુરપ્રતિમાલેખસંદોહ' લેખાંક ૨૨૭ (સં૦ ૧૫૨૦). ખરતરગચ્છ : જુઓ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિસંપાદિત ‘ ધાતુપ્રતિમાલેખસંગ્રહ ભા૦ ૧' લેખાંક ૧૨૪૫ (સં॰ ૧૫૦૭). આ લેખમાં ખરતરગચ્છનું નામ નથી પણ શ્રી જિનરત્નસૂરિનું નામ છે. ૧૫ જુઓ આત્માનંદ જૈન સભા, ભાવનગર-પ્રકાશિત, મુનિશ્રી જિનવિજયજીસંપાદિત “ જૈનલેખસંગ્રહ ભા, ", લેખાંક ૪૫૧-૪પર. ૧૬ જુઓ ઉપરનું પુતક લેખાંક ૪પ૩. ૧૭ જુઓ પદ્મશ્રી મુનિશ્રી જિનવિજયજીસંપાદિત, સિંધીજૈનગ્રન્થમાલાપ્રકાશિત “ જૈનપુરતકપ્રશસ્તિસંગ્રહ', પૃ॰ ૯૩. પ્રસ્તુત પ્રશસ્તિસંગ્રહમાં માત્ર તાડપત્રીય ગ્રંથોની પ્રશસ્તિઓ આપી છે તેથી સૂચિત કલ્પસૂત્રની પ્રશસ્તિમાં સમય નથી લખ્યો છતાં વિક્રમના પંદરમા શતક પછીનો સમય તો ન જ કહી શકાય, '' ૧૮ જુઓ શ્રી માણિકયચંદ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા દ્વારા પ્રકાશિત “ જૈનશિલાલેખસંગ્રહ ભા, ૩' લેખાંક-૩૦૫ ૨, ૧૯ જુઓ ઉપાધ્યાયી વિનયસાગરસંપાદિત “ પ્રતિષ્ઠાલેખસંગ્રહ ’” લેખાંક ૧૦૨૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy