SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વડનગરનો. નાગર જૈન સંઘ ૫૦ અમૃતલાલ મોહનલાલ ભોજક વનગરમાં નાગરવિણુંકોનો જૈન સંધ હતો એમ જેના આધારે જાણી શકાય છે તે વડનગરનો નાગર જૈન સંઘ તરફથી વિક્રમના ૧૮મા શતકમાં નારાયણપુર(નરના રાજસ્થાન)સ્થિત તપાગચ્છીય આચાર્ય શ્રીવિજયપ્રભસરિઝ પ્રત્યે લખાયેલો એક અપ્રસિદ્ધ વિજ્ઞપ્રિલેખ અહીં મુખ્યતયા આપવામાં આવ્યો છે. સાથે સાથે એક ચિત્ર કલ્પસૂત્રની અપ્રસિદ્ધ પ્રાપ્તિ પણ આ લેખમાં આપી છે. આ કલ્પસૂત્ર પણ વડનગરના નાગરશ્રેષ્ઠીએ લખાવેલું છે. પ્રસ્તુતને પૂરક થાય તેવી કેટલીક સામગ્રી મારા જોવામાં આવી. તેથી વડનગર નાગરગચ્છ નાગરવણિકજ્ઞાતિ વગેરે માટે પ્રાસંગિક જણાવીને ઉપર્યુક્ત વિજ્ઞપ્રિલેખ તથા પ્રશસ્તિ આપવી ઉચિત માની છે. ૧. નાગરનાતિ ાને તેના સંપ્રદાય વષે પ્રાચીન-અર્વાચીન જૈન જૈન સાહિત્યનું ચીવટપૂર્વક અન્વેષણ કરીને તયા મારે વહીવંચાનાં પ્રાચીન સમયનાં જે ઓળિયાં મળે છે તે અને તેવા જ પ્રકારની અન્ય સામગ્રીના અભ્યાસને અંતે જ પૂરો પ્રકાશ પાડી શકાય. આ પ્રકારના અન્વેષણમાં નાગરજ્ઞાતિની ઉત્પત્તિ, તેનો વ્યવસાય, નિવાસસ્થળો, સંપ્રદાયો, સંપદાચપરિવતનો અને તેનાં કારણો વગેરે બાબતોને લગતી ઘણી સામગ્રી મળવાનો સંભવ રહે. અને તે સામગ્રી એક લેખરૂપે રજૂ કરી શકાય કે એક ગ્રંથરૂપે? તેનું સ્પષ્ટીકરણ સંપૂર્ણ અન્વેષણના અંતે જ થઈ શકે, આવું અન્વેષણ્ લાંબો સમય માર્ગે, જે મારા માટે મુક્ત છે, તેથી અહીં અભિપ્રેત વસ્તુને મુખ્ય રાખી અભ્યાસિયર્ગને કંઈક ઉપયોગી થાય તેવી આનુષંગિક હકીકતો પરિમિત માત્રામાં જ આપી શકયો છું. અર્થાત્ અહીં íિર્દષ્ટ હકીકતોને પ્રક હોય તેવી વિશેષ સામી મળવાનો સંપૂર્ણ અવકાશ હોયા હતાં સમયાલાષને લીધે મેં મર્યાદા નિશ્ચિત કરી છે. ૨ અજમેર-ફુલેરા રેલમાર્ગમાં ‘ નરૈના ’ રેલ્વેસ્ટેશન છે. 3 આ સામગ્રી એકત્રિત કરવા માટે મેં જે સંદર્ભગ્રંથો જોયા તેનો ઉલ્લેખ યથાસ્થાને આવશે જ, તે સિવાયના ખીન્ન સંદર્ભગ્રંથો છે તે મેં જોયા નથી, તેનાં મુખ્ય બે કારણો છે : એક તો સમય વિશેષ થાય, અને બીજું, મારા સંક્ષિપ્ત અવોકનથી નોંધેલી હકીકતો આ લેખના નિર્દેશ્ચન ટોક હોક પ્રમાણમાં પુરા થશે તે છે. ા કારી બીં નોંધેલી હકીકતો સિવાયની પ્રસિદ્ધ કે અપ્રસિદ્ધ હકીકતો અપાઈ ન હોય તે બદલ તન્હોને દરગુજર કરવા વિનંતિ કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy