SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ને સદુપયોગ કરી આ જીવનમાં પણ લૌકિક અને પારલૌકિક ઉન્નતિ સાધે છે અને ભવિષ્યમાં પણ તેનાં હિતકર ફળ ભોગવે છે, ઈળેિના ભોગ રોગ સમાન છે, અસાર છે. જેમ કેળન થડનાં પડ કાઢ કઢ કરીએ તે કઈ પણ ઠેકાણે તેમાંથી લાકડા જેવો કઠણ ભાગ કે સાર મળશે નહિ. તેમ ઇન્ડિયાના ભેગેનું કઈ પણ વખતે કોઈ સાર રૂ૫ ફળ નીકળશે નહિ ઈન્દ્રિયોના. ભોગેની તૃષ્ણાથી કષાયની અધિકતા થાય છે, લુપતા વધે છે, ભાવ હિંસાત્મક થઈ જાય છે, ધર્મભાવથી પતિત થવાય છે અને તેથી પાપ કર્મને બધ પણ થાય છે. પાપના ઉદયનું એવું ફળ મળે છે કે ચક્રવતી ભરીને સાતમી નરકમાં ઊપજે છે કોઈ પૈસાદાર મરીને સાપ થઈ જાય છે, કૂતરે થઈ જાય છે, એકેન્દ્રિય વૃક્ષ થઈ જાય છે, એવી નીચ ગતિમાં ચાલ્યા જાય છે કે ત્યાથી ઉન્નતિ કરી ફરી મનુષ્ય જન્મ પામવા બહુ જ કઠીન થઈ પડે છે. તેથી ઇન્દ્રિયેના સુખને સુખ માનવું એ ભ્રમ છે, મિથ્યાત્વ છે, ભૂલ છે, અજ્ઞાન છે, દગો છે. બુદ્ધિમાનેને એ ઉચિત છે કે ઇન્દ્રિયમુની શ્રદ્ધાને છેડે, તેની લુપતા ત્યાગે. તેમાં અંધારું થઈ ગયું છે તે મૂકે તેના જ દાસ થઈ જાય છે તે પિતાની સાચી ઉન્નતિ કરી શકતા નથી, તે છ ઈન્દ્રિયોની ઈચ્છાનુસાર વર્તતા કુમાર્ગગામી થઈ જાય છે. વિષયભોગ હિતકારી અને ઉચિત છે, કે અહિતકારી અને અનુચિત છે એ વાતને વિકસાવ એના હૃદયમાથી દૂર થઈ જાય છે. તે વિવેકરહિત છ ઇન્દ્રિયના દાસત્વમાં એટલા બંધ થઈ જાય છે કે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ જ ગૃહસ્થ દશામાં સાધી શકાય છે તેમાં પણ તે કાયર, અસમર્થ અને દીન દેખાય છે. તૃષ્ણાની બળતરામાં બળી બળી શરીરને રોગાક્રાન્ત, રુધિરરહિત, દુર્બળ બનાવી શીધ્ર તેને ત્યાગી ચાલ્યા જાય છે. જે મનુષ્યજન્મથી
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy