SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ આત્મકલ્યાણ અને પરોપકાર કર જોઈતું હતું તેને એવી રીતે વ્યર્થ ગુમાવી નાખે છે કે તેને નીચે જાવેલાં કામ કરનાર જે મૂર્ણ જાણે. જેમ કેઈ અમૃતથી ભરેલા ઘડાને પીવાના કામમાં ન લેતાં પગ દેવામાં વાપરી નાખે, અગરુ ચદનના વનને બાળવાના લાકડાં સમજી બાળવામાં વાપરી નાખે, આમ્રવૃક્ષને ઉખેડી નાખી બાવળને વાવે, હાથમાંનું રત્ન કાગડાને ઉડાડવા ફેકી દે, હાથી શણગારીને તેના ઉપર લાકડાં ભરે, રાજપુત્ર થઈને પણ એક દારૂવાળાની દુકાને નોકરી કરે. - દરેક મનુષ્યને ઉચિત છે કે તે પોતાની પાસે ઇન્દ્રિયોને અને મનને પિતાને વશ રાખે, જેમ ઘેડાને માલિક છેડાને પિતાને કાજે રાખે છે તેમ. તે જ્યાં ઈચ્છે છે ત્યાં તેને લઈ જાય છે. તેની લગામ તેના હાથમાં રહે છે. જે તે ઘડાને આધીન થઈ જાય તે તે ઘોડાથી પિતાનું કામ લઈ શકતો નથી. પરંતુ તેને ઘેડાની અરજી અનુસાર વર્તી તેની સાથે ઘાસનાં ખેતરમાં કૂવું અને ફરવું પડશે. જે ઇન્દ્રિયો અને મનને પિતાને આધીન રાખી શકે છે તે તેની સહાયતાથી આશ્ચર્યકારી ઉન્નતિ કરી શકે છે. જે તેને દાસ થઈ જાય છે તે ભવભવમાં દુખને પામે છે, તેથી ઇન્દ્રિયના ભેગને અસાર જાણી સત્યસુખના પ્રેમી થવુ ાગ્ય છે. આ વિષય ભોગેના સંબંધમાં જૈનાચાર્યોને શુ મત છે તે નીચેના વાકયેથી જાણવા યોગ્ય છે (૧) શ્રી કુંદકુંદસ્વામી દ્વાદશીનુપ્રેક્ષામાં કહે છે – वरभवणजाणवाहणसयणासण देवमणुवरायाणं । मादुपिदुसजणभिचसंबंधिणो य पिदिवियाणिचा ॥३॥ ઇન્દ્ર અને ચક્રવતઓના મેટા મેટા મહેલે, સવારી, પાલખી શયા, આસન, અને માતા, પિતા, સજન, સેવક આદિ સર્વ સંબધે અસ્થિર છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy