SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ કે નથી એને એના આત્મસ્વરૂપને વિશ્વાસ. સાચું સુખ આત્મામાં છે. જેને પોતાના આત્માનું યથાર્થ જ્ઞાન થઈ જાય છે તે સાચા સુખને ઓળખી લે છે. સાચું સુખ શું છે એનું આગળ વર્ણન આવશે- જે ઇોિના ભોગ ભોગવવાથી ભાસતું સુખ જૂઠું હૈય, તૃષ્ણા રૂપી રોગને વિશેષ વધારી દે તેવું હોય તે પછી આ ઈન્દ્રિ પાસેથી શું કામ લેવું જોઈએ? એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જ્ઞાનીજને તે એ દઢ વિશ્વાસ કરી લેવો જોઈએ કે ઈન્દ્રિયસુખ તે સાચું સુખ છે જ નહી, એ સુખાભાસ છે, સુખ સમાન ઝળકે છે. તેથી સુખની પ્રાપ્તિ માટે આ ઇન્દ્રિયોના ભોગ ભોગવવા એ અજ્ઞાન છે તે પછી ઇન્દ્રિો પાસેથી શું કામ લેવું જોઈએ? શરીર ધર્મનું સાધન છે, તેથી શરીરની રક્ષાને યથાર્થ ધર્મ પુરુષાર્થને માટે અને ધર્મનાં સાધનની પ્રાપ્તિ કરવા માટે ઇન્દ્રિયોથી કામ લેવું જોઈએ. સ્પર્શનેંદ્રિયથી પદાર્થોને સ્પર્શ કરી તેના ગુણ દેષ જાણવા જોઈએ કે આ પદાર્થ ઠડો છે કે ગરમ છે, ચીકણે છે કે લૂખ છે, કેમળ છે કે કઠેર છે, હલકે છે કે ભારે છે? વિષયભોગના હેતુથી જે સ્પર્શને કિયના ભોગ ભેગવાશે તે તૃષ્ણ વધી જશે, સ્વસ્ત્રીમાં જે મર્યાદાથી વિશેષ પ્રવર્તશે તે પોતે પણ રોગી અને નિર્બળ થશે અને સ્ત્રી પણ રેગી અને નિર્બળ થશે અને તૃષ્ણાની વિશેષતાથી સ્વસ્ત્રી ભોગવવા યોગ્ય નહીં ભાસતાં પરસ્ત્રી અને વેસ્યામાં રમણ કરવા લાગશે , રસને ઇન્દ્રિયની મદદથી નક્કી કરવું કે તે જ પદાર્થો ખાવા પીવા યોગ્ય છે કે જેનાથી શરીરનું સ્વાથ્ય સારું રહે, શરીર બળવન રહી કર્તવ્યકર્મનું પાલન કરી શકે, જે શરીર રક્ષાર્થને બદલે ભેગાથે જીભને ઉપયોગ થશે તે તે આ પ્રાણી લુપી થઈ જશે. શરીરને હાનિકારક એવા પદાર્થો પણ ખાવા પીવા લાગશે અને
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy