SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ઇચ્છતા હતા કે અહીં આવવાથી દુખ ઘટશે પણ ઊલટું દુખ વધી ગયું. ઈચ્છતો હતો કે મુનિમ સાચે નિમકહલાલ મળશે પરંતુ તે તે સ્વાથી અને હાનિકારક નીવડશે. કદાચ ઇચ્છાનુસાર પદાર્થ મળી પણ જાય તો સદા તેનો સંગ રહેતો નથી. તેને વિયોગ થઈ જાય છે ત્યારે પુનઃ ભારે કષ્ટ થાય છે. પાંચે ઈન્દ્રીયોના ભંગની તૃષ્ણા જીવને એટલે સતાવે છે કે એને ઈચ્છા થાય છે કે આ સર્વ વિષયનાં સુખને એક સાથે ભોગવું. પરતુ એમ કરી શકાતું નથી. એક કાળમા એક ઈન્દ્રિયથી જ વિષય ભોગ થઈ શકે છે, તેથી તે એકને છેડી બીજામાં, બીજાને છેડી ત્રીજામાં એમ આકુળતાપૂર્વક ભોગવતે ફરે છે પરંતુ કોઈ પણ રીતે વૃદ્ધિ પામતો નથી. ઈન્દ્રિય સુખમાં ભગ્ન થઈને ઘણું કરી પ્રાણી શક્તિ અને મર્યાદાથી વિશેષ ભેગ ભોગવી લે છે ત્યારે શરીર બગડી જાય છે અને રોગ ઉત્પન્ન થઈ જાય છે. રોગી થવાથી બધા વિષય ભેગા મૂકી દેવા પડે છે. આ ભોગેથી તે ચક્રવતી રાજા પણ વૃદ્ધિ પામતું નથી, તેને તે અધિક પુણ્યશાળી હોવાથી પાચે ઇન્દ્રિયના ભોગેની મનવાંછિત સામગ્રી પ્રાપ્ત હોય છે. મેટા મેટા દેવ મહા પુણ્યવંત હોય છે, ઇચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે અને દીર્ઘકાળ સુધી ભગવે છે તે પણ તે તૃપ્તિ પામતા નથી. મરણ સમયે આ બધા ભેગે મૂકવા પડે છે તેથી શેર કલેશ ભોગવે છે. ઈન્દ્રિયોના ભાગ અતૃપ્તિકારી છે, તૃષ્ણ વધારનાર છે અને અસ્થિર નાશવંત છે તે આ પ્રાણુ તેની ઈચછા કેમ ત્યાગતો નથી ? એનું કારણ એ છે કે એની પાસે બીજો ઉપાય નથી કે જેથી એ એની ઈચ્છા તૃપ્ત કરી શકે. જે એણે સાચું સુખ જોયું હોત, સાચા સુખને એને પતો લાગ્યો હોત તો અવશ્ય આ જુઠા ઈન્દ્રિય સુખની તણું તે મૂકી દેત. મિથ્યાષ્ટિને લીધે એને પિતાના આ નાશવંત શરીરમા અહ બુદ્ધિ થઈ રહી છે નથી એણે આત્માને જાણ્યો
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy