SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિનાં સાધન ૨૪૭ ચરણુ સેવવા બેસતા નથી, પણ અભિમાનથી મસ્તક આગળ અક્કડ થઈ બેસે છે, અને છેવટે જ્યારે મદદની માગણીના ઉત્તરમાં પ્રભુ એને કહે છે કે “ કહે તેા હું તારી તરફ રહું, અને કહે તેા આ સેના તને લઢવા આપું: પણ એટલી શરત કે હું જેની તરફ રહું તેની તરફથી શસ્ત્ર હાથમાં ઝાલીશ નહિ. ” ત્યારે એ મૂર્ખ અભિમાની જીવ પ્રભુને બદલે સેના પસંદ કરે છે! વસ્તુતઃ આ સંસારના યુદ્ધક્ષેત્રમાં પ્રભુ શસ્ત્ર લઈ ને લટતા નથી, પણ જે પક્ષ તરફ એ રહે છે તે જ પક્ષ વિજયી થાય છે. વીર્ય ઉદ્યોગ આદિ પ્રભુની જ સેના છે, પણ જે ઘડીએ એમાંથી પ્રભુનું પવિત્ર તત્ત્વ છૂટું પડે છે તે ઘડીએ એ આ જગત્તા યુદ્ધક્ષેત્રમાં વિજય મેળવવા માટે તદ્દન નિરર્થક નીવડે છે. દુર્યોધનની માફક ક્ષણિક ફત્તેહમન્દીથી કદી રાચવું નહિઃ છેવટે might is not right પ્રભુ બળવાનને નથી, ન્યાયવાનના છે—એ જ સાબીત થાય છે. અને એ સિદ્ધાન્ત જ દુૌંધનના દૃષ્ટાન્તમાં પ્રત્યક્ષ થાય છે. એના અન્તમાં રહેલે જીવપણું, એ ‘ મૃત્યુ' . આ પ્રમાણે ટૂંકામાં, સંસારનું મેાહક સ્વરૂપ, · મૃત્યુ 'રૂપી મહાભય, ‘ મૃત્યુ ' ને અર્થ-જીવનું માંથી મુક્ત થવા માટેનાં સાધના—પ્રભુનું સ્મરણ, એના પ્રત્યે પ્રેમ અને પ્રપત્તિ, એની સ્તુતિ અને નૈવેદ્ય, નીતિ અને નમ્રતા——ઋત્યાદિ વિષયે અવકાશાનુસાર આપણે ચર્ચ્યા. [ વસન્ત, વૈશાખ સંવત્ ૧૯૬૯ ]
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy