SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૩ પંચસંગ્રહ–ચતુ દ્વાર–સારસ ગ્રહ સેવવાની ઈચ્છા પણ ન કરતાં આખું શરીર અશુચિમાંથી ઉત્પન્ન થયેલ છે અને અનુચિમય જ છે એમ વિચારી મળથી થતી પીડાને સહન કરવી તે પરિષદ્ધ વિજય છે. સઘન પાથરેલ દર્દિ ઘાસ ઉપર સથારા અને ઉત્તરપટ્ટો પાથરીને અગર જેના સથારાદિ ચારાઈ ગયા હોય કે ફાટી ગયા હોય તેએ પાથર્યા વિના પણ શયન રતાં ઘાસના અગ્રભાગાદિથી પીડા પામવા છતાં તેને દૂર કરવાની કે સુંદર શય્યા પાથરવાની ઈચ્છા ન કરતાં તે પીડાને સમભાવે સહન કરે તે તૃણુસ્પ પરિષદ્ધવિજય. શાસ્ત્રોક્ત વિધિ મુજબ નવ કલ્પાદિ વિહાર કરતાં પગમાં કાંટા-કાંકરાદિ લાગવા છતાં અને ઠંડીમાં પગમાં પગ ઠરી જવા છતાં પૂર્વ ગૃહસ્થપણામાં ઉપોગ કરેલ વાહન કે જોડાં આદિની મનથી પણ ઈચ્છા ન કરતાં તેનાથી થતી પીડાને સમભાવે સહન કરવી તે ચર્યાપરિષહવિજય. શરીરને ઉપદ્રવ કરનાર ઢાંશ, મચ્છર, માંકડ, કીડી, વિષ્ણુ આદિ ક્ષુદ્ર જંતુઓથી પીડા પામવા છતાં પણ તે સ્થાનથી અન્યસ્થાને જવાની અગર પ"ખા આદિથી તે જંતુઓને દૂર કરવાની મનથી પણ ઈચ્છા ન કરવી અને તેનાથી થતા દુઃખને સમભાવે સહન કરવું તે દશપરિષદ્ધવિજય. અશ—ઉપાંગ આદિ સ્ત્રશાસ્ત્રામાં અને વ્યાકરણુ, ન્યાય. ષડ્કશન આદિ અન્યશાસ્ત્રામાં પોતે સંપૂર્ણ કુશળ હોય, અનેક મુનિરાજે પ્રક્ષાદિ પુછી સમાધાના મેળવતા હાય છતાં પણ પૂર્વના પૂધર મહિષઓની અપેક્ષાએ હું તે સૂર્ય આગળ મનુઆ જેવા જ છુ'' ઈત્યાદિ વિચારોદ્વારા લેશમાત્ર પણ અભિમાનજન્ય જ્ઞાનના માનને ન થવા દે, તે પ્રજ્ઞાપરિષદ્ધવિજય. C પેાતાની બુદ્ધિ બહુ અલ્પ હોય, ઘણી મહેનત કરવા છતાં ચૈાડુ પણ ભણી ન શકે તેથી આ તે પશુ છે કંઇ પણ સમજતા નથી' એ પ્રમાણે બીજાએ કહેતા હાય છતાં ખેદ ન કરે તેમજ ભણવાના ઉદ્યમને પણ ન છેડે, પરંતુ મેં પૂર્વ ઘણું જ્ઞાનાવરણીય કમ ખાંધ્યુ છે કે જેના ચેગે આટલી મહેનત કરવા છતાં પણ મને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ઈત્યાદિ વિચારદ્વારા જરા પણ દીનતાને ધારણ ન કરે અને ભણવામાં વિશેષ ઉદ્યમ કરે તે અજ્ઞાનપરિષદ્ધવિજય, અનેક સ્થળે દાતા પાસે યાચના કરવા છતાં પોતાની જરૂરિયાત પ્રમાણે કલ્પનીય વસ્તુઓ મેળવી ન શકે છતાં અકલ્પિત વસ્તુઓને ગ્રહણ કરવાની ઈચ્છા પણ ન કરે, તેમજ • અલાલ એ પરમ તપ છે' એમ સમજી આવશ્યક વસ્તુ ન મળવા છતાં પણ ખેદને ધારણ ન કરે તે અલાસ પરિષહવિજય. પેાતાની ઇન્દ્રિયા દ્વારા ખરાખર નિરીક્ષણ કરી જ્યાં સ્ત્રી, પશુ કે નપુંસકા ન રહેતા હાય અને જ્યાં સ્વાધ્યાયાદિ સુખપૂર્વક થઈ શકે તેમ હોય તેવા એકાન્ત
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy