SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ટકાનુવાદ સહિત, ૨૨૫ અહિં સઘળે મળી અંતર્મુહૂર્ત અધિક એકસો ત્રીસ સાગરોપમ વિરહકાળ થાય છે, તે ગાથામાં પરિપૂર્ણ એ બત્રીસ સાગરેપમ કેમ લીધા? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે અતમુહૂર્ત એ અહપ કાળ હેવાથી વિવક્ષા કરી નથી, માટે, કંઈ દોષ નથી. તથા ઈતર સારવાદન ગુણસ્થાનથી આરંભી ઉપશાંતમૂહ સુધીના દરેક ગુણસ્થાનકને ફરી પ્રાપ્ત કરવાને ઉત્કૃષ્ટ કાળ કઈક ન્યૂન અર્ધ પુદગલ પરાવર્તન છે. કારણ કે સાસ્વાદનાદિ કેઈપણ ગુણસ્થાનકેથી પડી પહેલે ગુણસ્થાનકે આવનાર આત્મા ત્યા વધારેમાં વધારે કઈક ન્યૂન અર્ધ પુદગલ પરાવર્તન પર્યંત રહે છે ત્યાર પછી અવશ્ય ઉપરના ગુસ્થાનકે જાય છે, તેથી તેટલું જ ઉત્કૃષ્ટ અંતર છે ૬૧ આ પ્રમાણે એક જીવાશ્રિત ગુણસ્થાનકોમા અંતરકાળ કહ્યો. હવે અનેક જીવાશ્રિત वासपुहुन्तं उवसामगाण विरहो छमास खवगाणं । નાખીણુ સાલાપરાણે પટ્ટaો દર | वर्पपृथक्त्वं उपशमकानां विरहः पड् मासाः क्षपकानाम् । नानाजीवेपु सासादनमिश्रयोः पल्यासंख्यांशः ॥२॥ અથ–ઉપશમક-અપૂર્વકરણાદિ ગુણસ્થાનકનું અનેક જીવને આશ્રયી ઉત્કૃષ્ટ અંતર વર્ષ પૃથફવ, ક્ષપક અપૂર્વકરણાદિનું છ માસ, અને સારવાદન તથા મિશ્રનું પાપમનો અસંખ્યાત ભાગ છે. ટીકાનુe-–ઉપરની ગાથામાં એક જીવાશ્રિત ગુણસ્થાનકને અંતરકાળ કદો છે, આ ગાથામાં અનેક વાછિન કહે છે. એટલે કે અગિ આદિ ગુણસ્થાનકને કેઈપણ જીવ પ્રાપ્ત ન કરે તે કેટલે કાળ પ્રાપ્ત ન કરે તે કહે છે– ઉપશમણિ અંતર્ગત અપૂર્વકરણથી આરંભી ઉપશાંતમાહ સુધીનાં કઈપણ ગુણસ્થાનકનું અનેક જીવે આશ્રયી ઉછૂટ અંતર વર્ષ પૂરફ છે. તાત્પર્ય એ છે કેજગતમાં ઉપરોક્ત ચાર ગુરુસ્થાનકમાં કઈપણ જીવે સર્વવા ન હોય તે વર્ષ પૃવકૃત્વ પત હોતા નથી ત્યારપછી ઈને કેઈ જીવ તે ગુણસ્થાનકને અવશ્ય પ્રાપ્ત કરે છે ૨ અહિ ત્રીજા ગુણરથાનકના અતર્મુહૂર્ત માટે શંકા કરી પરંતુ પહેલી વાર છાસઠ સાગરોપમકાળ પૂરવા બાવીસ બાવીસ સાગરોપમના આખે ત્રણવાર અયુત દેવલેન્કમાં જાય. અને બીજી વારને છાસઠ સાગરોપમ કાળ પૂર્ણ કરવા તેત્રીસ તેત્રીસ સાગરોપમને આખે જે વાર વિજયાદિમાં જાય, તમાં અભ્યત અને વિજયાદિમા હજતા આવતા વચલા મનુ ભવને આયુના કાળમાટે કેમ ? ન કરી એ પ્રશ્ન થાય તેના જવાબમાં પણ એમ જ લાગે છે કે તે તે ભવના આયુના કાળની પશુ વિવક્ષા કરી નથી, એક બીસ સાગરેપમ ઉપર એ બધેકાળ લેવાનેજ છે, કારણ કે માપશમિક સમ્પર્વને એક બોસ સાગરેપમ કાળ બતાવતાં વચમાં થના મનુષાવને કાળ લીધાજ છે, તેથી અહિ અંતરકાળમાં પણ તે કાળ લે જોઈએ, એમ લાગે છે. ૦
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy