SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયી રાવણ ] ૨૧ જરૂર વગેઈ જશે અને પેલા બે જણ મરીને નરકવાસી થશે. વસુ અને પર્વત નરકમાં જશે એ વિચારથી ગુરુને મનમાં ઘણું દુઃખ થયું અને સંસાર ઉપર એમને વૈરાગ્ય ઉત્પન્ન થયે એમણે પિતાની જગા પર પિતાના પુત્ર પર્વતને સ્થાપિત કર્યો અને પિતે દીક્ષા લીધી. આ બાજુ ચાગ્ય સમય આવતા વસુને એના પિતા અભિચક્ર રાજાએ ગાદી પર બેસાડો ને પિતે દીક્ષા ગ્રહણ કરી. વસુ રાજાની ખ્યાતિ આખી પૃથ્વીમાં એક સત્યવાદી રાજા તરીકે ફેલાવા લાગી. એક વખત વિંધ્ય પર્વતના એક ભાગમાં એક શિકારી હરણને શિકાર કરી રહ્યો હતો. એણે પિતાનું બાણ કર્યું પણ એ બાણ વચ્ચે જ અલિત થઈ ગયું. પિલા શિકારીને આ જોઈને ઘણું જ નવાઈ લાગી એ નજીક ગયો તે તેને જણાયું કે ત્યાં સ્ફટિકની એક શિલા હતી જે આખથી જોઈ શકાતી નહતી માત્ર સ્પર્શ કરવાથી જ એની હસ્તીની ખબર પડે એણે મનમાં વિચાર્યું કે આ સ્ફટિક શિલા તે વસુરાજાની ગાદીના સિહાસન માટે યોગ્ય છે એણે એ શિલા વસુરાજાને આપી વસુરાજાએ એ શિલા પર પિતાનું સિંહાસન રચાવ્યુ. લેકે તો આંખથી એ શિલાને જોઈ શકતા નહોતા એટલે એમને તે એમ જ જણાતું કે સિંહાસન કેઈ દૈવી શક્તિથી જમીનથી અદ્ધર જ રહે છે વસુરાજા કેઈ મહાન વ્યક્તિ છે એવી ખ્યાતિ દિગ તમા વ્યાપી ગઈ જેથી અનેક રાજાએ એની આણ સ્વીકારી. એકદી ફરતે ફરતે હું પર્વતના આશ્રમમાં ગયા. પર્વત એના શિષ્યોને ચર્ચા એ જગવેદની લીટીને અર્થ આપતાં કહેતું હતું કે સંગ એટલે મેંટુ અર્થાત્ બકરું. એને જે હામ કરી યજ્ઞ કરે છે એ રવર્ગને અધિકારી બને છે. મેં તરત જ કહ્યું “હે પર્વતા તું આ અર્થ ખોટ કરે છે મા એટલે તે ત્રણ વર્ષનું જુનુ ધાન્ય કે જે ફરી વખત ઉગતુ નથી. આપણું ગુરૂએ પણ એ જ અર્થ આપણને શીખવ્યો હતે. તે શા માટે તું એનાથી જુદો અર્થ શિષ્યને સમજાવે છે પણ પર્વતે મારૂ કહ્યું માન્યું નહિ અને ગુરુએ પણ એ ટુ એ અર્થ કર્યો હતે એમ એણે મને જણાવ્યું. મેં કહ્યું કે હવે આપણી વચ્ચે આ વાત વિવાદની વાત બની છે માટે આપણે કેઈ ત્રાહિત માણસ પાસે ન્યાય કરાવીએ અને એ માટે વસુરાજા સર્વથા ગ્ય છે. એ સત્યવાદી રાજા કદાપિ જૂહું બેલશે નહિ માટે આપણે એને આ બાબત પૂછીને નિર્ણય કરીએ. આ વાતની પર્વતની માને ખબર પડી. એને ખબર હતી કે પર્વતના પિતાએ અને અર્થે ત્રણ વર્ષનું જૂનું ધાન્ય એ કર્યો હતે એણે એના પુત્રને સમજાવ્યું કે તારી જીદ છોડી દે અને નારદની વાત માની જા પણ પર્વત એકનો બે થયે નહિ. આથી એની માતા વસુરાજા પાસે ગઈ વસુરાજાને એણે સઘળી વાત જણાવી વસુરાજા કહે “મારાથી મિથ્યા કેવી રીતે બોલી શકાય?” ત્યારે પર્વતની માતાએ કહ્યું કે “તારા ગુરુના પુત્રને બચાવે એ તારા હાથમા છે. તને તારા ગુરુ પ્રત્યે જે માન હોય તે તારે એને સાચે ઠેરવે જ રહ્યો પછી તારી મરજી ” અને વસુરાજાએ પર્વતની માતાની વાત સ્વીકારી બીજે દિવસે દરબારમાં વસુરાજા ઈંદ્રની જેમ સિંહાસન પર બેઠે હતે એ વખતે હું અને પર્વત એની સભામાં ગયા અને અમારો ઝઘડે તેમની સમક્ષ મૂકો ત્યાં હાજર
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy