SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ રર [લઘુ ત્રિ િશલાકા પુરુષ -- આ મનપાન રૂ મ રહેલા પડિતાએ પણ વસુરાજાને ચેપગ્ય અને સાચે ન્યાય આપવા જણાવ્યું. સત્ય એ જ જેને જીવનસિદ્ધાંત ગણાય છે એવા વસુરાજાએ જ્યારે જનનો અર્થ “એ” એવો કર્યો ત્યારે તે જ ક્ષણે સ્ફટિકની શિલા તૂટી પડી અને વસુરાજા જાણે નરક તરફ પ્રયાણ કરતા હોય એમ પૃથ્વી પર ગબડી પડશે. શેઠી જ ક્ષણમાં એ મરણ પામીને ઘેર નરકની આદર ગયો. એના મરણ બાદ એના આઠ પુત્ર ગાદી પર આવ્યા પણ તે તત્કાળ જ મરણ પામવા માંડયા સુવસુ નામનો નવમે પુત્ર નાગપુર ગયો ને બૃહદુઃવજ નામને દશમે પુત્ર મથુરાપુરી ગયા પછી તે નગરના લેકેએ પર્વતની ભારે ઉપેક્ષા કરી નગરની બહાર કાઢી મૂકે એ પર્વતને એક મહાકાળ નામના અસુરે ગ્રહણ કર્યો. અચોધન રાજાની દુહિતા સુલસા ઉમરવાન થતાં એના પિતાએ એક સ્વયંવર ૨ એ સ્વયંવરની અંદર સગર રાજા પણ આવ્યા હતા અલસાની માતાની ઈચ્છા મધુપિગ નામના એક રાજકુવરને સુલસા પરણે એમ હતી સુલસાએ માતાની આ શિખામણને સ્વીકાર કર્યો. પણ આ વાતની ખબર દાસીદ્વારા સગર રાજાને પડી એથી સગરરાજાએ પોતાના એક પુરોહિત પાસે તત્કાળ એક રાજલક્ષણસહિતા રચાવી. એ પુસ્તકમાં પુરોહિતે એવું લખ્યું કે જેથી સગરરાજા સર્વ રાજલક્ષણેથી યુક્ત ગણાય અને મધુપિગ સર્વ રાજલક્ષણેથી રહિત ગણાય આ નવું પુસ્તક એક પિટીમાં એવી રીતે મુકાવ્યું કે જેથી અન્ય માણસોને એ કઈ પ્રાચીન ગ્રંથ લાગે. ત્યારબાદ “અધન રાજાના દરબારમાં સૌ એકઠા થયા બાદ સગરરાજાના પુરોહિતે એ ગ્રંથનું વાંચન કર્યું. આ પુસ્તઠના વાંચનથી મધુપિંગ રાજલક્ષણ રહિત ગણુ તે લજજા પામી ત્યાંથી ઉડી ગયા અને સુલસાએ સગરરાજાને વરમાળા આપી.” અપમાન પામેલા મધુપિંગ બાળતપ કરી મરણ પામી મહાકાળ નામે અસુર થયા. તેણે અવધિજ્ઞાનથી સગરનું પૂર્વનું માયાવીપણું જાણયું અને તેથી સગરરાજાના રાજ્યમાં એણે અનેક પ્રકારના ગે વિષ્ફળ્ય મહાકાળે પિતાનું મૂળસ્વરૂપ બદલી બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી પિતાનું નામ શાંડિલ્ય રાખી પર્વતને મળ્યા અને પર્વતના હાથે યજ્ઞ કરાવનારનું કલ્યાણ કરવા લાગે આથી સગરરાજા પણ પવને ઉપદેશ માનવા લાગ્યા અને એમણે પણ પિતાના રાજ્યમાં આવા યજ્ઞો કરાવવા માડયા. “ મારા જાણવામાં આ વાત આવી આથી મેં મારા મિત્ર દિવાકર વિદ્યાધર દ્વારા પશુઓને હરણ કરાવ્યાં. પણ પેલા મહાકાળ અસુરે અવધિજ્ઞાનથી આ વાત જાણી ચાના અદર અષભદેવની પ્રતિમા પધરાવી એથી અમે નિરૂપાય થઈ ગયા. અને પેલા દુષ્ટ અસુર માયાથી સગરરાજા અને અલસાને પણ યજ્ઞમાં હોમી મારી પિતાનું વૈર વસુલ કર્યું. અને ત્યારબાદ તે મહાકાળ અસુર પિતાને સ્થાને પાછા ગયે. આ રીતે યોની ઉત્પત્તિ થઈ તમારે એ યોને તત્કાળ બધ કરાવવા જોઈએ નહિં તે અહિંસાની મહત્તા ઘટી જશે.” નારદની આ વાત સાભળી રાવણે મનમાં આ યજ્ઞ અટકાવવાને દઢ નિશ્ચય કર્યો. અને એણે નારદને વિદાય આપી
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy