SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયન ૧૫૮ છું, તું સાવ ઉદ્ધત પાકો-બાપનું કહ્યું નથી માનતો...? મંદિર જવાની ના પાડે છે? નરકમાં જઈશ નરકમાં આવા જ કડવા અને કડક શબ્દ બેલે છે ને? એમ કહેવાથી શું તમારે દરકરે મંદિરે જતે થઈ જશે? તેથી તમારૂ કહ્યું તે માનશે? આવા વ્યવહારથી તે કેટલાય છોકરાઓ વિદ્રોહી દિમાગના બની ગયા છે. માતા-પિતાની ધર્મારાધનાના કડવા ટીકાકાર બની ગયા છે. તમારામાંથી ઘણાં માતા-પિતા છે. તમને આ અનુભવ હશે જ. માતા પિતાને અનુચિત વ્યવહાર સંતાનને ધર્મથી વિમુખ કરી દે છે. ભલે પછી માતા પિતાની ભાવના સારી હોય. સિદ્ધાંત જાણ તે એક વાત છે અને તેને પ્રવેગ કરો તે બીજી વાત છે. સિદ્ધાંત જાણનારા બધા ગ્ય-સાચા જ પ્રયોગ કરે, એ અઘટ નિયમ નથી. અમારા હૈયે કુટુંબનું હિત છે. એ હિતભાવનાથી કહીએ છીએ, આ જ કે તર્ક કરે છે ને ? ભાવના તમારી સારી છે, પરંતુ ભાવનાની અભિવ્યકિત, તેને અભિગમ બરાબર નથી. કુટુંબીજનેને તમારી સારી ભાવનાની પ્રતીતિ નથી થતી. કારણ કે પ્રેરણા કરવાની તમારી પદ્ધતિ બરાબર નથી હોતી. મહામંત્રી પિથડશા પિતે બ્રહ્મચય–બર ધારણ કરવા ઈચ્છતા હતા તે ધારત તે પત્નીને પ્રેરણા આપીને કે તેના પર દબાણ કરીને પત્નીની સંમતિ મેળવીને સવયં બ્રહ્મચારી બની જાત ! બત ધારણ કરવું પૂરતું નથી. ધારણ કર્યા બાદ તેના પાલનની ક્ષમતા પણ હેવી જોઈએ બ્રહ્મચર્યવ્રતનું આજીવન પાલન કરવું સરળ વાત નથી. જવાનીમાં કામવાસનાને આગ પ્રબળ હોય છે. એ આવેગ પર સંયમ રાખ તે નાની સુની વાત નથી માણસને પિતાને હાર્દિક સંકલ્પ હોય અને વ્રત પાલન કરવાની ક્ષમતા પર વિશ્વાસશ્રદ્ધા હોય તે વ્રતનું પાલન થઈ શકે છે. કોઇના દેરડ્યા દેરવાઈ જઈને, કેઈના દબાણને વશ થઈને વ્રત લેનાર મટાભાગે વતનું યથાગ્ય પાલન નથી કરી શક્તા. આથી જેને વ્રત આપવું હોય તેને એ વ્રતનું મહત્વ સમજાવે. એ વ્રત ગ્રહણ કરવાની તેની ભાવનાને
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy