SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦૪ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જગાડે, શુભ ભાવનાને કાર્યાન્વિત કરવામાં ઉતાવળ ન કરે, વ્રતપાલન કરવા માટે તેનામાં વિશ્વાસ પેદા કરે. તેની શ્રદ્ધાને સ્થિર અને સુદઢ કરે. પેથડશાહની પત્ની સાથે વ્રત લે છે. માનવું પડશે કે પેથડશાના શુભ ભાવેનો પ્રભાવ તેમની ધર્મ પત્ની પર પણ પડશે. પથમિણીએ કહ્યું : “નાથ ! આપની ભાવના ઉત્તમ છે. હું પણું બ્રહ્મચર્યવ્રત લેવા ચાહુ છું. આપ આપની પવિત્ર ભાવના સાકાર કરી વિચારે તમે, પત્નીની આ વાત સાંભળીને પેથડશાને કેટલે આનંદ થયો હશે? હૈયુ તેમનું કેવું પ્રસન્ન થયું હશે ? અને પથમિણીના આનંદ અને પ્રસન્નતાનું તે પૂછવું જ શું ? પતિની પ્રસન્નતામાં જ તેની પ્રસન્નતા સમાઈ હતી. પતિ-પત્ની બંનેએ બ્રહ્મચર્યવ્રત ધારણ કરવાને દઢ સંકલ્પ કર્યો. ખૂબ સ્વાભાર્વિક્તાથી વ્રતનું પાલન કેમ થાય તે દિશામાં ખૂબજ ચિંતન-મનન કરવા લાગ્યા. બ્રહ્મચારીને જીવનવ્યવહાર કે હે જોઈએ, તે અંગે જ્ઞાની પુરુષનું માર્ગદ લીધું. . . બત્રીસ વર્ષની-ભજી જવાનીમાં બ્રહ્મચર્ય જેવું કઠીન વ્રત લેવું એ કંઈ “એક હતે રાજા અને એક હતી રાણી, જેવી મામુલી વાત નથી. પેથડશાનું જીવનચરિત્ર વાંચતા સમજાય છે કે એ મહા પુરૂષનું સમગ્ર જીવન ધર્મમય હતું. જીવનને દરેક વ્યવહાર દરેક કર્મ અને ક્રિયા ધર્મના ગાઢ રંગથી રંગાયેલા હતાં. રાજાની સાથે અને પિતાના પરિવારની સાથે-સૌની સાથે, તેમને વ્યવહાર ઔચિત્યપૂર્ણ હતું! શું તમે લેકે પણ તમારું જીવન આવું વિવેકપૂર્ણ અને ઔચિત્યપૂર્ણ ન બનાવી શકે છે જે જૈન સંઘના સભ્ય કુટુંબનું આવું જીવન બની જાય તે સમસ્ત વિશ્વને એક આદર્શ મળી શકે. અન્ય સમાજના કુટુંબને તે આટલું સ્પષ્ટ અને સુરેખ માર્ગદર્શન નથી મળતું. તમને લેકેને તે મળી રહ્યું છે. તમે તેને મહવને સમજે અને જીવન પરિવર્તનને સંકલ્પ કરે. કરશે ને સંકલ૫.st
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy