SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના શુભ વિચારધારા સતત અખલિત વહેતી રહે. જ્યારે શુભ વિચારધારા વહેતી રહેશે ત્યારે જીવન-વ્યવહાર પણ શુદ્ધ બનશે અને જીવનમાંથી અશુદ્ધિઓ આપોઆપ દૂર થઈ જશે. મહામંત્રી પેથડશાએ એ ભેટનું નિમિત્ત પકડી લીધું. રેજ એ ભેટનું દર્શન કરતા રહ્યા. એ વસ્ત્રોને તે પહેરતાં નહિ, જ તેનું ભાવથી દર્શન કરતા. એક દિવસ મહામંત્રીની ધર્મપત્નીએ પૂછયું : સ્વામીનાથ ! ભેટમાં આવેલ આ પૂજાના વસ્ત્રોને તમે પહેરતા કેમ નથી? મહામંત્રીએ કહ્યું. “દેવી! આ વસ્ત્રોની ભેટ બ્રહ્મચારી માટે છે. હું બ્રહ્મચારી નથી, આથી તેને મારાથી ઉપગ કેવી રીતે થઈ શકે? પત્ની પ્રથમિણી વિચારમાં એવાઈ ગઈ. પછી ફરી પૂછ્યું : “નાથ! તે શું તમે બ્રહ્મચર્ય–વત અંગીકાર કરવા ચાહે છે ત્યારે પેથડશાએ કહ્યું: તમારી જ્યારે ભાવના થશે ત્યારે આપણે બંને સાથે બ્રહ્મચર્ય વ્રત લઈશું. હું તમારી ભાવના શી છે તે જાણવા માગું છું.' કેટલી ગંભીર દૃષ્ટિ છે મહામત્રીની! પત્નીના હૈયે બ્રહ્મચર્ય વ્રત લેવાની ભાવના ન જાગે ત્યાં સુધી પિતે બ્રહ્મચર્યવ્રત લેવા નથી ઈચ્છતા. વ્રત ધારણ કર્યા વિના ભલે મૈથુનને ત્યાગ કરાય, પણ પત્નીની સંમતિ વિના વ્રત ધારણ કરવા નથી ચાહતા. પત્નીને તે એમ પણ નથી કહેતા કે “મારે બ્રહ્મચર્યવ્રત લેવું છે. તારી ભાવના હોય તે તું પણ લે, નહિતર હું તે એ વ્રત લેવાને જ છું. તારી વાત તું જાણે, આવા ઉપેક્ષિત વચન તે નથી બોલતા. આવું કહેતા તે સંભવ છે કે પ્રથમિણી વિરોધી વિચાર રજૂ કરત. આપણાં રવજનેને જે ધર્મઆરાધનામાં જોડવાની ઈચ્છા હોય તે તે માટે જોડવાની પ્રબળ ભાવના આપણા હૈયે હેવી જોઈએ અને તે માટેની ચેાગ્ય પદ્ધતિ પણ આવડવી જોઈએ સારી ભાવનાની અભિવ્યક્તિ સારી કરે દીકરે પરમાત્માના મંદિરે નથી જ. તમે ઈચ્છે છે કે તેણે મંદિરે જવું જોઈએ. આ માટે તમે તેને બેચાર વખત પ્રેરણા પણ કરી છે. છતાંય તે નથી જતે ત્યારે તમે શું કરે છે? “નાસ્તિક
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy