SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ નમસ્કારમંત્રસિદ્ધિ, રીતે નમસ્કાર કરવામાં આવે તો એ અણબનાવ કે એ અબોલાને અંત આવી જાય છે અને મૈત્રીભર્યું વાતાવરણ સર્જાય છે. નીતિકારે કહે છે કે નમવામાં નાનમ નથી. જે નમ્રતાને ગુણ ધારણ કરીને બીજાને નમે છે, તે લોકપ્રિયતાને વરે છે અને આખરે યશસ્વી બને છે, જ્યારે અભિમાનથી અક્કડ રહેનાર સહુની આખે ચડે છે, જ્યાં જાય ત્યાં અળખામણું અને છે અને છેવટે અપયશની કાળી ટીલી કપાળે લઈને દુઃખી થાય છે. આના દાખલાઓ શોધવા માટે બહુ દૂર જવું પડે એમ નથી. આપણી આસપાસમાં જ તેને લગતા સંખ્યાબંધ દાખલાઓ મળી આવશે. અમે એવી વ્યક્તિઓને જાણુએ છીએ કે જેમણે નમસ્કાર કરવાની ખાસ કલાને લીધે ઘણા મિત્રે મેળવ્યા. હોય અને એ રીતે પિતાના ધંધા–રેગારમાં પ્રગતિ સાધી. હાય. તાત્પર્ય કે અકકડ રહેવામાં નુકશાન છે, પણ નમ્રતા ધારણ કરીને નમસ્કાર કરવામાં કઈ જાતનું નુકશાન નથી. તે સાથે તેમાં લાભ થવાના ઘણા ઉજ્જવલ સંગે રહેલા છે. - પપાસના કે ભક્તિના ક્ષેત્રમાં નમસ્કારને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલું છે. દેવની ભક્તિ કરવી હોય તે પ્રથમ તેમને નમસ્કાર કરવામાં આવે છે અને પૂજનાદિ અન્ય પ્રવૃત્તિઓ પછી હાથ ધરાય છે. ગુરુની ભક્તિમાં પણ આ જ ક્રમ છે. તેથી જ તેમને નમસ્કાર કરતી વખતે વંમિ, નમામિ, સામિ, સમમિ વગેરે શબ્દો બોલવામાં આવે છે. વામિ એટલે વંદુ છું, નમસ્કાર કરું છું. મંસામિ એટલે. પૂજું છું. તમ શબ્દ પૂજાના અર્થમાં પ્રસિદ્ધ છે. સોનિ
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy