SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારની ઉપાદેયતા સ્કાર કરવામાં આવે છે, તેમજ કોઇ અતિથિ એટલે મહેમાન કે પરાણા ઘરે પધાર્યાં હાય ત્યારે તેનુ સ્વાગત સહુથી પ્રથમ નમસ્કાર વડે કરવામાં આવે છે. વળી વિદ્યાગુરુ કે લાગુરુને માન આપવા માટે નમસ્કારના જ આશ્રય લેવાય છે અને જ્ઞાનવૃદ્ધ, યાવૃદ્ધ, તપસ્વી વગેરે પ્રત્યે આદરની ભાવના વ્યક્ત કરવા માટે પણ નમસ્કારના જ પ્રયાગ થાય છે. આ જ રીતે દેશનેતાએ, પ્રધાન, સેનાપતિ, સાહિત્યકાર, કવિઓ કે ક્લાકાર આદિને સન્માન આપવાના પ્રસંગે પ્રથમ નમસ્કારની ક્રિયા કરવામાં આવે છે અને પછી જ પુષ્પહાર–સમર્પણુ આદિ વિધિ થાય છે. ટૂંકમાં નમસ્કાર એ શિષ્ટાચારના પ્રાણ છે. તેના વિના શિષ્ટાચારની કોઈ પણ ક્રિયા શાભા ધારણ કરી શકતી નથી કે અસરકારક નીવડી શકતી નથી. અહીં એ પણ જાણી લેવું જરૂરનું છે કે જે મનુષ્યા શિષ્ટાચારનું પાલન કરતા નથી, તે અશિષ્ટ, અસંસ્કારી, અક્કડ, ઉદ્ધત કે ભૂખ`માં ખપે છે, તેથી સર્વે સુજ્ઞ, સમજુ કે શાણા માણસા શિષ્ટાચારનું પાલન અવશ્ય કરે છે અને એ રીતે નમસ્કારની ક્રિયા કરતાં એક પ્રકારનું ગૌરવ અનુભવે છે. નીતિ તરીકે પણુ નમસ્કાર ઉપાદેય છે, કારણ કે તે સામાને વધારે નમાવે છે, તેના સદ્ભાવનું આકષ ણ કરે છે અને તેની મૈત્રીને ખેંચી લાવે છે. કોઇ વ્યક્તિ સાથે અણુબનાવ હાય કે લાંબા સમયથી ખેલ્યા–વ્યવહાર ન હાય, તે વ્યક્તિ રસ્તામાં સામી મળી જાય અને તેને વ્યવસ્થિત પણ
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy