SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારની ઉપાદેયતા ૧૧. એટલે સત્કાર કરું છું. એમળેમિ એટલે સન્માનું છું. 'તાત્પર્ય કે ગુરુની પર્યું પાસના અથવા ભક્તિ ચાર પ્રકારે. કરવાની છે, તેમાં નમસ્કારનું સ્થાન સહુથી પહેલું છે. ચૈત્યવંદન, ગુરુવંદન આદિ શબ્દો વંદન અર્થાત્ નમસ્કારને મહિમા પ્રદર્શિત કરે છે અને તેને ભક્તિના એક ભવ્ય સાધનની પ્રતિષ્ઠા સમપે છે. નમસ્કાર વિનાની ભક્તિ એ નાક વિનાના સુખ જેવી એક કઢંગી કલ્પના છે, તેથી કોઈ પણ સંપ્રદાયે તેને સ્વીકાર કર્યો નથી. અન્ય શબ્દોમાં કહીએ તે ભક્તિમાર્ગની અનેક શાખા-પ્રશાખાઓ છે, તે દરેક શાખા કે પ્રશાખાએ નમસ્કારને આદર કર્યો છે અને તેને પ્રથમ સ્થાને બેસાડેલે છે. ધર્મક્રિયામાં પણ નમસ્કારની બેલબાલા છે. જ્યાં સુધી નમસ્કાર કરે નહિ, ત્યાં સુધી કામ આગળ ચાલે નહિ. સામાયિક, ચૈત્યવંદન, પ્રતિક્રમણ આદિ ક્રિયાઓના પ્રારંભે ત્રણ વાર “ખમાસમણ દેવામાં આવે છે. આ ખમાસમણ શી વસ્તુ છે ? તમે પાઠ યાદ કરે, એટલે અમારા કથનનો ભાવાર્થ બરાબર સમજાઈ જશે. “રૂછામિ મામળો ! વંતિ જાવળિજા નિહિ, મત્સ્ય વંગિા' આમાં વંદન એ નમસ્કાર, પ્રણામ કે પ્રણિપાતની ક્રિયા છે અને તેનું ખરું નામ પણ “ પારસૂત્ર” એટલે વંદન કરવાનું સૂત્ર છે. સાધુ-મુનિરાજે શ્રોતાજનેને ધમને ઉપદેશ કરે છે, ત્યારે પણ પ્રારંભમાં નમસ્કાર જ લે છે, પછી એ નમસ્કાર. પંચમપરમેષ્ઠીને હોય કે કારને હાય. નમસ્કાર વિના. તેઓ ધર્મોપદેશ એટલે વ્યાખ્યાન–વાણીને પ્રારંભ કરતા નથી.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy