SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ તે તે વસ્તુની પ્રાપ્તિ થાય છે અને હજુ એમાં આગળ વધીને ધ્યાન* જ્યારે તેની પરાકાષ્ઠાએ પહોંચે અને ધ્યાતા તથા બેય વચ્ચેના - ભેદનો છેદ ઉડી જાય, ત્યારે તે આત્મા જેનું ધ્યાન કરે છે, તે રૂપ બની જાય છે. તિર્યંચ છવનો દાખલે જોઈએ. મરીના દરમાં લાવવામાં આવેલી રાળ, ભ્રમરીના ગુંજનમાં ભ્રમરીનું ધ્યાન કરતી લયલીન બની જાય છે, તે વખતે એવું એક કર્મ બાંધે છે કે તે ત્યાં મરીને, ત્યાંને ત્યાંજ ભ્રમરી રૂપે જન્મ લે છે. આ જાતને ઉલેખ ભારતીય રામાં મળે છે અને એ ઉપરથી જ “ઈલિકાભેગી” નામની કહેવતરવરૂપ ન્યાયક્તિને જન્મ છે. હવે મનુષ્યને દાખલે વિચારીએ. ઉપર માનવિજ્ઞાનને જે સિદ્ધાન રજૂ કર્યો, તે મુજબ થાતા -ધ્યાન કરનારે આત્મા, પિતાના ઈશ્વરપ્રણિધાનરૂપ ધ્યાનને તેની પરમ સીમાએ પહોંચાડે છે, ત્યારે તે “અષા શો પરમની પરમેક્તિન. સાક્ષાત્કાર કરે છે અને ધ્યાન પોતે જ એય સ્વરૂપ બની જાય તેવા પ્રકારના નામકર્મને બાંધે છે. તે ઉપર મહારાજા શ્રેણિકને દાખલ નોંધપાત્ર છે. અઢી હજાર વર્ષ ઉપર થયેલા મગધેશ્વર મહારાજા શ્રેણિકની, તીર્થકર ભગવાન શ્રી મહાવીર પ્રત્યે અનહદ અને અદ્ભુત ભક્તિ જાગી ગઈ હતી. તેણે પોતાનું સર્વસ્વ ત્રિકરણોને ભગવાનના ચરણે સમર્પણ કરી દીધું હતું. હૈયામાથી ચૂચ વચને અથવા મારાપરાયાના ભેદને વિચ્છેદ થઈ ગયા હતા, અર્થાત ની દિવાલ દૂર થતાં બંને વચ્ચે અભેદભાવ સજાઈ ગયો હતે. ભક્તિભાવનાની અખંડ જ્યોત ઝળહળતી પ્રજવલિત બની ગઈ હતી. “વીર, વીર, વીર” આ નામની લગન લાગી ગઈ હતી.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy