SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનનું મહત્ત્વ ૨૩૫' શુદ્ધિપૂર્વક પાઠ બેલ્યા કરે, તે સ્મરણ કે જપ કહેવાય છે અને તેનું ચિતન કરવું તે ધ્યાન કહેવાય છે. હવે પાઠકરતાં પણ ચિતનનું મહત્વ ઘણું વધારે છે, તેથી જ કરતાં ધ્યાનની કિયા ઉત્તમ ગણાય છે અને તે સિદ્ધિને સમીપે લાવવામાં અતિ અગત્યનો ભાગ ભજવે છે, તેથી. ધ્યાન વિના કોઈ પણ મંત્રસાધના પૂર્ણતાને પામી શકે નહિ, એ દેખીતું છે. પતંજલિ મુનિએ “ગદર્શનમાં ત્તનપસ્તરથમવાર સૂત્ર વડે સ્પષ્ટ કર્યું છે કે મંત્રસિદ્ધિ માટે મંત્ર જપ કર જોઈએ, તેમજ તેની અર્થભાવના એટલે ચિતન પણ. કરવું જોઈએ. જૈન મહર્ષિઓ કે જૈન શાને મત આથી ભિન્ન નથી, એટલું જ નહિ પણ તેમણે પરમપદની પ્રાપ્તિ માટે. પરમતત્વની પ્રાપ્તિ માટે તેમજ ધ્યાનસિદ્ધિ માટે નમસ્કાર મંત્રનું ધ્યાન ધરવાને ખાસ ઉપદેશ આપે છે. પચનમુક્કારલંમાં કહ્યું છે કેजंकिंचि परमतत्त, परमप्एयकारणं च ज किंपि । तत्थ इमो नक्कारो, झाइज्जइ परमजोगीहि ॥ જે કંઈ પરમતત્ત્વ છે અને જે કઈ પરમપદનું કારણ છે, તેમાં પણ પરમ ભેગીઓ વડે આ નમસ્કારમંત્રજ ચિંતવાય છે, અર્થાત્ તેનું ધ્યાન ધરાય છે.” શ્રી હેમચંદ્રાચાર્યે “ગશાસ્ત્રમાં કહ્યું છે કે
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy