SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ નમસ્કારમંત્રસિદ્ધિ तथा पुण्यतमं मन्त्र, जगत्रितययावनम् । योगी पञ्चपरमेष्ठि-नमस्कारं विचिन्तयेत् ॥ તથા ત્રણે જગતને પાવન કરનાર અને મહાપવિત્ર એવા પંચપરમેષ્ટિ–નમસ્કારમંત્રને એગીએ–ગસાધકે વિશેષ પ્રકારે ચિતવ જોઈએ, અર્થાત્ તેનું ધ્યાન ધરવું જોઈએ. અને તેમણે એ ધ્યાનને વિધિ પણ બતાવે છે કે જેને સામાન્ય નિર્દેશ અમે મરણવિધિમાં કરી ગયા છીએ. શ્રી સિદ્ધસેનસૂરિએ “નમસ્કાર-સાહાસ્યમાં पुण्यानुबन्धि पुण्यो यः, परमेष्ठिनमस्कृतिम् । यथाविधि ध्यायति सः स्यान तिर्यग् न नारका ॥ પુણ્યાનુબંધી પુણ્યને ધારણ કરનારે જે આત્મા વિધિપૂર્વક પંચપરમેષ્ટિ–નમસ્કારમંત્રનું ધ્યાન કરે છે, તે તિર્યંચ અથવા નારક થતો નથી.” તાત્પર્ય કે તે મૃત્યુ બાદ મનુષ્ય અથવા દેવગતિને પ્રાપ્ત કરે છે અને તેમાં પ્રાપ્ત થઈ શક્તાં સુખેને ઉપભોગ કરે છે. આ પરથી સાધકને નમરકારમંત્રના ધ્યાનનું મહત્વ સમજાશે. જપનો સમાવેશ અત્યંતર તપમાં થાય છે, તેમ વ્યાનો સમાવેશ પણ અત્યંતર તપમાં જ થાય છે. વળી તેને નિર્દેશ કર્યો પછી તરત જ કરવામાં આવે છે, તે
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy