SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકે ગ્યતા કેળવવી ઘટે. ૧ કે ધર્મમાર્ગમાં રસ જામતું નથી કે તેમાં કશી પ્રગતિ સાધી શકાતી નથી, એટલે વિષયને વારવાની જરૂર છે. તેજ રીતે કષાયે મનુષ્યના મનની પવિત્રતાને ભંગ કરનારા છે તથા જ્ઞાન-દર્શન–ચાસ્ત્રિ–તપની આરાધનામાં આડે આવનારાં છે, તેથી તેનું વારણ પણ એટલું જ જરૂરી છે. જેણે આ બંને ગુણે કેળવ્યા છે, એટલે કે જેને આ બંને ગુણો કેળવવા માટે નિષ્ઠાભર્યો પ્રયાસ છે, તે નમસ્કારમંત્રની સાધના સારી રીતે કરી શકે છે. (૬) જ્ઞાન-દર્શન-સુવિચારી એટલે જે જ્ઞાન અને દર્શનને આરાધક છે, તેમજ દરેક કાર્ય સારી રીતે વિચારીને કરનારે છે. જે શ્રત એટલે શાસ્ત્ર યથાકાલે ભણે, વિનયપૂર્વક ભણે, બહુમાનપૂર્વક ભણે, ઉપધાનપૂર્વક ભણે તથા ગુરુ પ્રત્યે અનિહવાનું દાખવે, એટલે કે તેને અપલાપ ન કરે, તેમજ સૂત્ર, અર્થ અને તદુભયની બરાબર શુદ્ધિ જાળવે, તે જ્ઞાનારાધક કહેવાય છે અને જે જિનવચનમાં શંકા કરે નહિ, અન્ય દર્શનની આકાંક્ષા કરે નહિ, તપ વગેરેનાં ફલ વિષે સંદેહ રાખે નહિ, અમૂહદષ્ટિ રાખે, સાધર્મિકની ઉપબહણ કરે, સાધમિકને ધર્મમાર્ગમાં સ્થિર કરે, સાધમિકનું વાત્સલ્ય કરે તથા શાસનની વિવિધ રીતે પ્રભાવના કરે, તે દર્શનારાધક કહેવાય છે. જે જ્ઞાન-દર્શનને આ પ્રકારને આરાધક હાય તથા દરેક કામ વિચારીને કરનારે હેય, તેને નમસ્કારમંત્રની સાધનામાં રસ પડ્યા વિના કેમ રહે? કેઈ પણ કામમાં
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy