SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ નમસ્કારમ્ ત્રસિદ્ધિ રસ પડો કે તેમાં એકાગ્રતા જામે છે અને તે કામ બહુ સારી રીતે થાય છે, એટલે આ પ્રકારની ચેાગ્યતાવાળા સાધક નમસ્કારમત્રની સાધના સારી રીતે કરી શકે છે. (૭) સ્યાદ્વાદ–રસ–રગ એટલે જેને સ્યાદ્વાદરૂપી રસના રંગ લાગેલા છે. સ્યાદ્વાદ એ જૈન ધર્મના એક વિશિષ્ટ વાદ છે કે જેને અપેક્ષાવાદ કે અનેકાન્તવાદ પણ કહેવામાં આવે છે; તેનુ મંતવ્ય એવુ છે કે આ જગતની દરેક વસ્તુ અનંત ધર્માંત્મક છે અને તે જુદી જુદી દૃષ્ટિએ જુદા જુદા પ્રકારની લાગે છે, તેથી આ વસ્તુ આવી જ છે, એમ કહી શકાય નહિ. સંભવ છે કે તે બીજા પ્રકારની પણ હોય. આ સંભ વિતતા દર્શાવવા માટે સ્વાનૂ પદ્મના પ્રયાગ થાય છે અને તેનુ સાત પદ વડે નીચે પ્રમાણે નિરૂપણ કરવામાં આવે છે (૧) સ્વાદુ અસ્તિ—આ વસ્તુ અમુક અપેક્ષાએ છે. (ર) સ્વાર્ નાસ્તિ—આ વસ્તુ અમુક અપેક્ષાએ નથી. (૩) સ્થાત્ અસ્તિનાસ્તિ—આ વસ્તુ અમુક અપેક્ષાએ છે અને અમુક અપેક્ષાએ નથી. स्यातू (૪) ચાણ્ અન્ય આ વસ્તુ એ વિરુદ્ધ અપેક્ષાથી કહી શકાય એવી નથી, માટે અવક્તવ્ય છે. (૫) ચાર્ અતિ વન્ય—આ વસ્તુ અવક્તવ્ય હાવા છતાં અમુક અપેક્ષાએ છે. (૬) સ્થાત્ નાસ્તિ અવન્ય—આ વસ્તુ અવક્તવ્ય હોવા છતાં અમુક અપેક્ષાએ નથી.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy