SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અરતિથી ક્ષણેક્ષણે મનને કાળું કરવાનું. ! જરા ગયું તે “કેમ ગયુ” થાય. કેવી મૂર્ખતા! જેને સ્વભાવ જવાનું જ છે તેને મારું કરી બેસવું છે ! અને જે પ્રાપ્ત કરીએ તો પછી એ જય જ નહિ એવા આત્માના ઉત્તમ ગુણોને પ્રગટ કરવાથી દૂર રહેવું છે! શુદ્રતા જીવને વિક–શૂન્ય રાખે છે. લેભરતિ અને લાભારતિ આત્માને કંગાળ અને પામર બનાવી દે છે–દીનતા નિત્ય દુઃખી રાખે છે. એ ટાળવા શ્રી વીતરાગ પ્રભુ પાસે ત્રણ પ્રાર્થના, ૧–આ જીવન અક્ષય સાથે કર્મક્ષય, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ માનસિક દુઃખનો ક્ષય, અર્થાત્ મનને ઓછું ન લાગે, મન, મસ્ત રહે, તૃપ્ત રહે, એની સાથે નિર્જરા યાને ૧૨ પ્રકારે તપની આરાધના. ૨. અંત સમયે સમાધિ, અને ૩. ભવાંતરે બધિલાભ. પહેલું આખી જીંદગી દરમ્યાન, બીજુ મરણ સમયે, ને ત્રીજું મરણ બાદ. ભવાન્તરમાં ત્રણેથી પાપ ટળે, આત્મા ઉજવલ બને ટૂંકમાં, અહીં સુખશાંતિ જોઈતી હોય, પરલોકમાં સુખ ઊભું રાખવું હોય, અને પરિણામે શાશ્વત સુખ પ્રગટ કરવું હોય તે દીનતા છોડવી જોઈએ. ચેાથે હુગુણ માત્સર્ય એટલે ઈષ્ય, કેષ, ખાર, વેરઝેર, મોઢું કટાણું થાય, અસહિષ્ણુતા, તિરસ્કાર, બીજાનું સારું ન જોઈ શકે. (સૌથી ઉચ્ચ કક્ષા વીતરાગની, તેની નીચે અપ્રમત્ત સરાગ સંયમી, તેની નીચે કમસર પ્રમત્ત, સર્વવિરતિધર દેશવિરતિધર, સમ્યક્ત્વી અને મોક્ષરુચિવાળા મિથ્યાત્વી, ત્યાં સુધીની જવની દશા ગુણની છે. તેની નીચે ભવાભિનંદીની સ્થિતિ એ ગુણ વિનાની દોષભરી દશા છે.) આ છેલ્લા પાટલાની સ્થિતિ મજબુત રાખનાર ઈર્ષ્યા છે, માત્સર્ય છે. એ કેઈનું,
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy