SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ પણ સારું જોઈ ન શકે. તેને જોઈને બળાપ કરે, ખાર આવે હલકો પાડે, તેની સીધી સારી વાત પણ તોડી પાડે, “ મને લાખ મળ્યા પણ એને સવાલાખ કેમ ? કાં મારા વધે, કાં એના જાય !” આવી અધમ વૃતિ કરાવે, ત્યાં આનંદ માનવાનું ખમીર જ ક્યાંથી હોય ? પોતાનાથી વધારે ધનિક, વધારે આબરૂવાળા, અધિક જ્ઞાની, અધિક તપસ્વી ઈત્યાદિ અધિકને જોઈને અંદર બળે, અસહિષ્ણુ બની વિકલપ ઘડે, સામાને ફજેત કરે. “હું ઊંચે, બીજા નીચા ” આ અપલક્ષણ કષાયને તેજ રાખે; વિષયરુચિ દઢ કરે, પાછા એને ઉપાદેય માને. આ ઈર્ષ્યા ભવવિરાગ અને સમ્યક્ત્વને કરે રાખે છે, તત્ત્વ સાંભળવા-સમજવા ને સ્પર્શવા નથી દેતી. ઈષ્યવશ માણસ એટલો બધે સત્વહીન બની જાય છે કે આમ બીજી રીતે બીજા પરાક્રમ પણ કર્યા હોય, છતાં ઈર્ષ્યા– વશ અવસરે ઉપકારી પૂજ્યને પણ અવગણે છે ! સિંહગુફાવાસી સુનિ શ્રી આર્યસંભૂતિવિજય જેવા શ્રત કેવળી આચાર્ય ભગવાનની આજ્ઞા લઈને સિહની ગુફા આગળ ઉપવાસ અને ધ્યાનમાં ચોમાસું પસાર કરી આવેલા. “ ગુફામાંથી ભૂખ્યો સિહ બહાર નીકળે તો એ ચીભડાની જેમ બટક બટક બચકા ભરીને મને ખાઈ જશે,' એ ભય શું ન લાગે? પરંતુ આ પરાક્રમી મુનિ લેશ પણ ગભરાયા વિના ત્યાં મહિનાઓ સુધી ધ્યાન–સાધનામાં રહ્યા. ચોમાસું ઊઠથે પાછા આવતાં ગુરુએ એમને ‘દુષ્કરકારક તરીકે ધન્યવાદ આપે. પણ ત્યાં સ્કૂલભદ્રજી કેશાવેશ્યાને ત્યાં ચોમાસું કરીને આવેલા, એમને “દુષ્કરદુષ્કરકારક તરીકે આવકાર્યા ! સિહના રેજના ભયંકર ભયને
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy