SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ અન્ય લઘુ રચનાઓ (૧) કાત્રિ શિકાઓ શ્રી જ્યશેખરસૂરિએ (૧) તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થ સ્તુતિ. ગર્ભિત દ્વાત્રિશિકા, (૨) શ્રી ગિરનાર તીર્થ સ્તુતિ ગર્ભિતા. દ્વાત્રિશિકા અને (૩) શ્રી મહાવીર જિન સ્તુતિ ગર્ભિતા હાત્રિ શિકાએમ ત્રણ કાત્રિશિકાઓની રચના કરી છે. એ ત્રણ દ્વાત્રિ શિકાઓને સંગ્રહ “ઢાત્રિ શિકાત્રયી' તરીકે પણ પ્રચલિત છે. જેને સંસ્કૃત સાહિત્યના મહર્ષિ સિદ્ધસેન દિવાકરે બત્રીસ કાત્રિશિકાઓ લખી છે. દ્વાત્રિશિકા એટલે બસ શ્લોકની રચના. સિદ્ધસેન દિવાકરે એવી બત્રીસ બત્રીસીઓની રચના કરી છે માટે. એ સંગ્રહ “દ્વત્રિશદ-હાત્રિશિકા'ના નામથી સુપ્રસિદ્ધ છે. આજ દિવસ સુધી સંસ્કૃત સાહિત્યમાં સંખ્યા અને ગુણવત્તાની દૃષ્ટિએ સિદ્ધસેન દિવાકરની કાત્રિ શિકાની બરાબરી કરી શકે એવી દ્વાત્રિશિકાની રચના થઈ નથી. સંસ્કૃત ભાષામાં મહાન જૈન કવિઓ માટે એથી જ સિદ્ધસેન દિવાકર પ્રેરણારૂપ રહ્યા છે. સિદ્ધસેન દિવાકરને અનુસરીને મહાકવિ હેમચંદ્રાચાર્યું છે. દ્વાત્રિ શિકાઓની રચના કરી છેઃ (૧) અન્ય એગ વ્યવચ્છેદ દ્વાત્રિ શિકા, (૨) અનન્યાગ વ્યવચ્છેદ કાત્રિશિકા. પિતાની આ ઢાત્રિશિકાઓ લખતી વખતે હેમચંદ્રાચાર્ય જેવા મહાન આચાર્યે પણ પિતાની વિનયપૂર્વક લઘુતા દર્શાવતાં કહ્યું છે કે સાચી દ્વાત્રિ શિકાઓ તે સિદ્ધસેન દિવાકરની કહેવાય; મારી કાન્નિશિકાઓ તે અશિક્ષિત માણસના આલાપ જેવી છે: જ આ કાવિંશિકાઓ જૈન આમાનદ સભા, ભાવનગર તટથી પ્રતાકારે પ્રાપ્તિ થયેલી છે cળી, જુઓ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ” ખંડ ૨, ૫ ૧૬૩
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy