SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ વિનતીસંગ્રહ વિવરણ આ સ્તવનમાં કવિ ઉદાવસહીમડન એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિનતી કરતા કહે છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિનાં દર્શન કરવાથી ભવરૂપી બંધને ટળી જાય છે. હમણાં મારા હૃદયમાં આશાની વેલડી ફળી છે અને પાશ્વ પ્રભુની કૃપાથી શિવપુરી–મોક્ષપુરી પણ હું શીવ્રતાથી પામીશ. વાદળ જેવા શ્યામ વર્ણવાળા સહામણ એવા હે પાર્શ્વનાથ સ્વામી ! આપની કૃપાથી મારું મન જગતની જંજાળમાં હવે રહેતું નથી. હે સુનાયક! હું આપની પાસે એક વચન માટે વિનતી કરું છું. જો તેમાં કઈ અજુગતું લાગે તે કઈ બાળકની તે વિનતી છે. એમ જાણજે. આ જગતમાં બીજા કરે દેવતાઓ છે, પરંતુ હે નાથ, આપના જેવા કેઈ દેવ નથી. હું કેવલજ્ઞાનયુક્ત સ્વામી ! હું કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી શકું એવી મારા ઉપર કૃપા કરો. એટલું વચન આપની પાસે યાચું છું. 1. આપના શ્યામવર્ણ દેહમાં આપના કર્ણમાં રહેલા સુવર્ણમય કુંડલે ઝળહળે છે, આપના મસ્તક ઉપર મુગટ શેલે છે, હૃદય ઉપર હાર શોભે છે. આવી રીતે આપની આંગીની રચના કરતાં મારું મન ઉલ્લસિત બને છે. સુગધિત સુખડથી આપના દેહનું વિલેપન કરવાથી મનની વાસનાઓ નાશ પામે છે અને હૃદય નિર્મળ બને છે. બકુલ, ચંપક, કેતકી વગેરે સુગંધિત પુછપથી આપની પૂજા કરી મહને અમે દૂર કરીશું. હું ત્રિભુવનનાથના ચરણે નિતનિત મસ્તક નમાવીશ અને પ્રતિદિન પ્રભુના નામનું રટણ કરીશ. હું ભવ(સંસાર)સંબંધી મતિને ભાંગી નાખીશ અને આત્મામાં જ રમણતા કરીશ. હે સ્વામી! આપ નિત્ય કૃપા વરસાવજે કે જેથી હું શિવમ-૧૬
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy