SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ માની મરવું નહિં. આવાં તે પિતાના અનુચરોના વચન સાંભળી બોધ પામેલે ગુણધર, પિતાના મિત્રના ગુણગણનું મનમાં સમરણ કરતો કરતો તામલિપ્તિ નગરીમાં આવ્યું, ત્યાં સર્વ માલ કાઠા પર ઉતરી તે સુમિત્રને સમુદ્રના સર્વ કાઠા પર તપાસ કરાવી, પરંતુ તેનું શબ પણ મળ્યું નહી. ત્યારે ખેદ પામેલા તે ગુણધર, સર્વ કરિયાણા વેચી નાંખી થોડાંક માણસને સાથે લઈ ત્યાંથી પાછા વીરપુર નગરે આવે ત્યાં આવી જેને ત્યા રસની તુંબડી મૂકી હતી, તે જીર્ણશેઠને ઘણુ જ ધન આપી તે રસતુ બિકા લઈને અનુક્રમે પિતાના ધનપુર નામે નગરમાં આજે. અને ત્યાં માતા પિતાના ચરણમાં નમન કરી સ્વજન, મિત્ર, જ્ઞાતિ પ્રમુખને મળી અત્યંત સતેષ પામ્યા. હવે તે ગુણધર આ પ્રકારે સર્વ રીતે સુખી છે, પરંતુ પિતાના મિત્ર સુમિત્રનું મનમાં અહોનિશ ધ્યાનજ કર્યા કરે છે, તેથી તેને વનમાં કે મનુષ્યના સમાગમમા કે કઈ પણ કાર્યમાં કિંચિત્માત્ર ચેનજ પડતું નથી તે ગુણધર એક દિવસ પિતાના ઉદ્યાનમાં ગયે, ત્યાં કેઈ એક સુધર્માનામે મુનિ બેઠા હતા, ત્યારે તેમની પાસે જઈનમન કરી ત્યાં ઉપદેશના શ્રવણ માટે બેઠે. ત્યારે તે ગુણધરને જોઈને મુનિએ જ્ઞાનથી જાણ્યું કે આ ગુણધર, દુષ્ય એવા સુમિત્રના વિરહનું દુખ કર્યા કરે છે ? એમ જાણે તે ગુણધરને કહ્યું કે હે સૌમ્ય | મેહુમૂઢ થઈને તું દુષ્ટ એવા સુમિત્રને તું શા માટે પરિતાપ કરે છે? તને આ શેક કરતે જોઈને મને તે એમ લાગે છે, કે તું સુમિત્રના અને કુમિત્રના ગુણને જાણતો જ નથી? હે ગુણધર ! તારે ખરો મિત્ર તો જે તારે પલપતિ મળ્યો હતો તેજ છે. કારણ કે જેણે તારું તેવા ભયંકર વનમાં રક્ષણ કર્યું ? તથા વળી રસતુ બિકા પણ આપી. અને હાલ જેને તું અહોનિશ શેક કરે છે, તે સુમિત્ર તે મહાદુષ્ટ હતો, જેણે તારો વનમાં ત્યાગ કર્યો, તથા તારા માલને ધણી થયે અને તે માલ પણ વનમાં મલી ગયે, ત્યારે તે પાછો તને મળી કપટથી સમજાવી સમુદ્રરસ્તે લઈ તેણે તારી પાસે વેપાર કરાવ્યું. વળી તે દ્રવ્યને તથા રસતુંબિકા માલિક થવા માટે તને સમુદ્રમાં નાખવા તૈયાર થયે, ત્યાં પિતાને પાપે પિતેજ પગ ખશી જવાથી સમુદ્રમાં પડી ગયે. આવી રીતે દુષ્ટના સંગથી તુ ઘણેજ દુખી થયો છે તે પણ તે દુષ્ટમિત્રને શોક કરે છે? તે વાકય સાભળી ગુણધર બે કે મહારાજ ! હું તે તેની પર ઘણી જ 'પ્રીતિ રાખતું હતું, તે છતા પણ મારી સાથે વૈરી સમાન કેમ વર્તતે હતે? તેને અને 'મારે કોઈ પૂર્વજન્મને વૈરભાવ હશે? તે સાભળી મુનિવરે તેના પૂર્વજન્મનો સર્વવ્યતિકર કર્યો, તેમાં કહ્યું કે જિનપ્રિય શ્રાવકનો અવતાર તું છે અને મેહનને અવતાર એ થશે હતું, અને તે મેહન કપટથી ધર્મ પાલતા હતા, અને તેને અવતાર સુમિત્ર હેવાથી દુ ખી થયો, અને જિનપ્રિય ધર્મિષ્ઠ હતું, અને તેને અવતાર તુ હોવાથી સુખી થયો છે. અને પૂર્વ જન્મમાં તારી સાથે તેને વૈર હોવાથી તે આ જન્મમાં પણ તારે મિત્ર થઈ તને ખરાબ કરવા ઈચ્છતા હતા, અને તુ ધર્મિષ્ઠ તથા સમભાવવાળે હોવાથી તેનું તું સારુ કરવા ઈચ્છતા હતા અને પૂર્વભવે તને ધર્મ સહાય હોવાથી આભવમાં સર્વ સંપત્તિ
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy