SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ સાડત્રીસમું, ] વિશુદ્ધ યોગીનાં સાધ્યસાધન. ૩પ૭ ભાવશુદ્ધ ચેતના કહે છે કે ઉપર જણાવેલી રીતે જે ચેતનજીનું મન ચાગમાં આસક્ત થયું છે, જેને ગપર પ્રેમ આવ્યું છે અને જે રોગને વ્યવહાર કરે છે તે પછી રોગસિંહાસન પર આરૂઢ થઈ ત્યાં બેઠા બેઠા અજરામર સ્થાનનું ધ્યાન કરે છે. ધ્યાનની શરૂઆતમાં સાલંબન ધ્યાન થાય છે અને તેમાં પ્રથમ રશૂળ અને પછી માનસિક અને આદર્શ વિગેરે પર ભાવના સ્થિર થતાં થતાં, આગળ વધતાં ઉપર જણાવ્યું તેમ પિસ્થાદિ ધર્મધ્યાનને પ્રયોગ કરે છે અને પછી શુકલધ્યાનની શરૂઆત કરે છે ત્યારે તદ્દન માનસિક ધ્યાન થાય છે. અધિકાર પ્રમાણે એ શુભ ધ્યાનમાં મોક્ષમાં શું સુખ છે, કેવા પ્રકારનું સુખ છે અને સ્થળ સુખની અને તેની વચ્ચે કેટલે અંતર છે એમ ધ્યાવતાં ધ્યાવતાં છેવટે એવી સામ્ય દશા પ્રાપ્ત થાય છે કે જેમાં ચેતન સમતામય થઈ જાય છે, શાંતિસ્વરૂપ થઈ જાય છે અને જે સ્થિતિ આનંદઘનજી મહારાજે શ્રી શાંતિનાથજીના સ્તવનમાં વિસ્તારથી બતાવી છે તદ્રુપ થતું જાય છે. “સુગતિ સંસાર બેહ સમ ગણે આવી રીતે નિષ્કામ વૃત્તિએ વિશિષ, ચાગસાધના કરી પોતે આગળ વધતું જાય છે અને ત્યાં પછી શું જુએ છે? ગસિંહાસન પર બેઠેલ મોક્ષપુરીના વાસી પિતાની જાતને જ જુએ છે, પછી તેને “અહા હા હું મુજને કહું, ન સુજ નમે સુજ રે? આવી ભાવના થાય છે. તે પોતાની પૂજના વધારવા માટે નહિ, પણ તેને ત્યાં પ્રત્યક્ષ અનુભવ થાય છે કે જે ધયેયનું હું ધ્યાન કરતે હેતે તેને અને મારે અભેદ છે, અર્થાત્ ગુણાપેક્ષયા શુદ્ધ દિશામાં હું અને દયેય સરખા જ છીએ, શક્તિ વ્યક્તિમાં ફેર છે, પણ રોગ્ય પ્રયાસથી શક્તિગત રહેલા ગુણે વ્યક્ત થઈ જશે એમ તેને સ્પષ્ટ જણાય છે. • આનંદઘનજી મહારાજના ઉપરોક્ત “અહા અહી વાળા વાક્ય માટે કેટલીક ટીકા થઈ છે તે અર્થ વગરની છે. એને સ્પષ્ટ ખુલાસો કરતાં પચાસજી આણંદસાગરજી મને લખી જણાવે છે તેની મતલબ એ છે કે અધ્યાત્મને પ્રશ્ન ઉપસ્થિત કર એ આત્મજ્ઞાનપ્રાપ્તિનું બીજું પગથીયું છે. યશોવિજયજી મહારાજ પિતે લખે છે કે આ પત્ર ન- પૂજા છિછર અધ્યાત્મમાર્ગમાં પ્રગતિ કરવા
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy