SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ આનદધનજીનાં પદો, [ પદ ઈચ્છનાર પુરૂષને પ્રથમ પગથીયે અધ્યાત્મને સવાલ પૂછવાનો વિચાર થાય છે અને બીજે પગથીયે પૂછવાની ઈચ્છા થાય છે. આ બીજા સેપાનથી બહુ કર્મનિર્જરા થાય છે એ નિસંદેહ વાત છે અને તેની સાથે ચગઅધ્યાત્મમાં ઘણું વધારે થઈ જાય છે અને પ્રગતિ-વૃદ્ધિ નિષ્પત્તિ સર્વ એક સાથે થતાં જાય છે. આવા અધ્યાત્મના પ્રશ્નને ઉપસ્થિત કરનાર પોતાના આત્માને ધન્ય માનનાર આનંદઘનજી ઉપરક્ત વચનથી ગુણનુમેહના કરે છે. આ સ્વરૂપ લક્ષ્ય રાખી સમજવા ચોગ્ય છે. આવી વિશિષ્ટ સ્થિતિ પ્રાપ્ત થતાં શુદ્ધ ચેતના અને ચેતનને એટલે સહગ થઈ જાય છે કે પછી આખુ પર અથવા આ વાકય શુદ્ધ ચેતના બોલે છે કે ચેતનજી પતે બોલે છે, એ પ્રશ્ન રહતે નથી. અને વસ્તુતઃ પરિણામે અભેદ છે, એટલે જે તફાવત હાલ જણાય છે તે પછી જણાવા પણ નથી. ચેતના તે હકીકત આ પદમાં રપષ્ટ કરે છે અને તેથી જ આ પદ તેના મોઢામાં મૂક્યું છે. એ અર્થ લીધા સિવાય ચેતનજી પિતાની વિભાવદશામાં આ શબ્દ બોલવાને ચગ્ય નથી. યોનિના મતા હે યોજss ગાય આ પ્રમાણે શ્રીમદ્ભગવતગીતામાં કહ્યું છે (ગભ્રષ્ટ જીવ ચાગીને ઘરે અથવા શ્રીમાનને ઘરે જન્મ લે છે); જૈન શાસ્ત્રમાં પણ સાત લવ આયુષ્ય ઓછું રહે તે અનુનર વિમાને પ્રચુર પુરુદયનો ભાગ જોગવવા તેત્રીશ સાગરોપમના આયુષ્યથી અપૂર્ણ રોગવાળા જીવ ઉત્પન્ન થાય છે અને પછી એક ભવ મનુષ્યને કરી ઈસિત સ્થાનકે પહોંચે છે. આસબ્રસિદ્ધ જીવ જેમ અનુત્તર વિમાને જાય છે તેમ ઓછી પ્રગતિવાળા સિદ્ધ ગીઓ તેથી ઉતરતી સદગતિમાં જાય છે અને મનુષ્યના ભાવે પણ કરે છે પણ તે દુર્ગતિમાં જતા નથી, પાપપકમાં ખરતા નથી, વિષયરૂપ વિષને આહાર કરતા નથી, તેમાં રગાતા નથી, ફસાતા નથી, આસક્ત થતા નથી. તેટલા માટે શુદ્ધ ચેતના કહે છે કે આવી રીતે પિતાની જાતને મુક્તિપુરીમાં ગસિંહાસન પર આરૂઢ થયેલ ધ્યાવનાર મારા શુદ્ધ ચેતનજી કેઈવાર દેવેંદ્ર થાય છે અને કોઈ વાર મનુષ્યભવમાં આવી ગસાધના કરનાર ઉપર જણાવ્યા તેવા ચાગી થાય
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy