SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિ [ પૂર્વ ખંડ આવ્યું છે? પરમહંસે પેલા ધાબીને બતાવ્યો એટલે એણે એને પકડીને સુભટોને સોયે, અને લશ્કર પાછું વળ્યું. પરમહંસનું આગમન અને અવસાન-પરમહંસ બુદ્ધિબળે બચી ગયા. એઓ નિર્ભય થઈને “ચિત્રકૂટ” આવી પહોચ્યા. એમણે ગુરુને-હરિભદ્રસૂરિને વંદન કર્યું. આખમા આસુ સાથે એમણે પિતાને મેટા બંધુ હંસના અવસાનની વાત કહેવા માંડી તેમ કરતા કરતા એમનું હૃદય ભેદાઈ જતા એમનું અવસાન થયું. હકીકતમાં ફેરફાર–ચ, પ્ર. (પૃ. ૫૧) પ્રમાણે “ચિત્રકૂટ ના કિલ્લાના બારણું દઈને એની પાસે પરમહંસ સૂતા હતા. એ જોઈને સુભટોએ એમનું મગ્નક કાપી નાખ્યું અને એઓ એ લઈ ગયા. સવારે એમનુ ધડ હરિભદ્રસૂરિના જોવામાં આવ્યું. પુ, પ્ર. સં. (પૃ ૧૦૫) પ્રમાણે આ હકીકત નીચે મુજબ છે – હંસનુ મૃત્યુ થતા પરમહંસ કોઈક નગરમાં ગયા અને એક (રાજા)ને શરણે ગયા. એવામાં એમની પૂઠે લાગેલું સૈન્ય આવી પહાગ્યું. એ સૈન્ય, જેને શરણે પરમહંસ રહ્યા હતા તેને કહ્યું : તુ પણ બૌદ્ધોનો ભક્ત છે તે આ આપણા ધર્મના દૈવીને તું અમને સેપી દે. એણે શરણાગતને આપવા ના પાડી. પરમહંસે કહ્યુંઃ માગ બૌદ્ધ આચાર્ય સાથે વાદ થવા દે. જે હુ એમા હારું તે મને મારી નાખો (વાત કબૂલ કરાઈ અને વાદ થતા) બૌદ્ધોની જીત થઈ અને પરમહંસનો વધ કરાયે. એમની રુધિરથી ખરડાયેલી ૧ સ્કંધ મુનિને ૫૦૦ શિષ્ય હતા. એ બધાને પાલકે ઘાણીમાં પીલીને મારી નાખ્યા અને સ્કંધકને પણ ત્યાર બાદ એ રીતે મારી નાખ્યા. એમના રુધિરથી ખરડાયેલા રહરણને ગીધોએ પુરુષને હાથ માની ઉપાડી એ નગરના રાજના અ ત પુરમા નાખ્યું. ત્યાની રાણીએ એ જોયું તો એને ખ્યાલ આવ્યો કે આ તે મારા ભાઈનુ રજોહરણ છે. આ હકીત ઉત્તર ઝયણ (અ ૨)ની યુણિ (પત્ર ૭૬ )માં છે. એમાં કબલ અને નિસિા (નિયા)નો ઉલ્લેખ છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy