SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભસૂરિ [ ઉપખંડ (ખંડ ૧)ની પણ વ્યાખ્યા પૃ. ૩૩૪માં તેમ જ ૩૩૭મા ધર્મકીર્તિ જેવાના પૂર્વાચાર્ય તરીકે ભદન-દિનને ઉલેખ કર્યો છે. વિશેષમાં એ પૂછો ઉપરના મૂળમાં એમને નામે નીચે મુજબની પંક્તિ ઉદ્દત કરી છે – વિવેત્ત્વોનાં ન્હા વિલક્ષી રાયોનઃ ” આ દિનાગના પ્રમાણસમુચ્ચયમાં જોવાય છે. આ વિચારતાં તેમ જ જૈન સાહિત્યમા દિનાગને કેટલીક વાર “દિન” તરીકે જે ઉલેખ મળે છે એ ખ્યાલમાં લેતાં દિનાગ તે જ દિક્ષ ઉફે ભદન્ત– દિન્ન છે એમ માનવા હું પ્રેરાઉં છું, દિનાગક્ત ન્યાયપ્રવેશક ઉપરની ટીકા (પૃ. ૩૫)માં હરિભદ્રસૂરિએ “ભદત” એવા નામોલ્લેખપૂર્વક નીચે પ્રમાણેની પંક્તિ આપી છે – " असाधारणहेतुत्वादक्षैस्तद् व्यपदिश्यते" દિનાગના પ્રમાણસમુચના ચોથા પદ્યનો પૂર્વાર્ધ નીચે પ્રમાણે છે – મધરાતુવાદ્ વ્યર્યું તિિજ.” આ પ્રમાણે છે કે આ બેમાં થોડોક ભેદ છે, પરંતુ ટિબેટી રૂપાંતર ઉપરથી આ સંસ્કૃત રચના કરાઈ છે એ લક્ષ્યમાં લેતાં એ ભેદ બાધક બનતો નથી. ઊલટું આ સમાનતા જોતા હું તે ભદન્ત એટલે દિશ્નાગ એવું અનુમાન દેરુ છું. વૈદિક હિંદુઓની કૃતિઓમા દિદ્ભાગનો ભદત” તરીકે ઉલ્લેખ મળે છે એ આ અનુમાનને પુષ્ટ કરે છે. મેઘદૂતનુ “વિનાનો પથ ઘરથી શરૂ થતું સુપ્રસિદ્ધ પદ્ય બૌદ્ધ વિદ્વાન દિદ્ભાગનું ગર્ભિત રીતે સૂચન કરે છે એમ મલ્લિનાથ વગેરેનું માનવું છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy