SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ગયું હતું. આવું છતાં ભગવાને સાધુને રજા નથી આપી. તે ભગવાન તમને કળશ ઢળવા રજા આપે છે ? પિતાની પૂજા વધે તેટલા માટે ઘડાની છૂટ? બીજાના પ્રાણ બચે તેમાં લેટાની કે ચાંગલું પાણીની છૂટ નહિ. ભગવાન કેવા લુચ્ચા? જન્માભિષેક વખતે દરિયાની છૂટ ! માટે આ પૂજા એ ભગવાનની પૂજ્યતા માટે નથી. ભગવાનની પૂજ્યતા હોય તેથી ભગવાનને કાંઈ નથી. વીતરાગ નહતા તે વખતે કાંઈ ન હતું. પ્રરૂપણ કરતા ન હતા તે વખતે પૂજાની, નિંદાની દરકાર ન હતી. તેને વીતરાગ દશામાં પૂજાની દરકાર કહેવાવાળા કેવા કહેવા? દરિદ્રપણામાં હીરો જડેલે રાજાને આપી આવ્યું હોય, તે લક્ષાધિપતિ થયા પછી લોટો ચારે તેને કે માનવે ? દીક્ષા લીધા પછી ગોવાળીઆ મારી ગયા તેની દરકાર નહિ. તેવા મહાપુરૂષ વીતરાગ થયા પછી શું પૂજાની દરકારવાળા થઈ ગયા ? પૂજા શાને માટે ? શંકા-પૂજાનું ફળ તે બતાવ્યું છે ને ? પૂછવું હોય તે પૂછે. પણ ભગવાન ઉપર આરોપ મૂકે છે? અપકાયને બચાવવા માટે શુરા સરદારને પ્રાણોને ભોગ આપવાને કહ્યું. પૂજાને માટે તે પાંચે કાયમાંથી એકેને બચાવી નથી. સમાધાન-સાઠ વર્ષે છોકરે જન્મે. કરડે રૂપિયા છે. છોકરાને ફૂલની પેઠે ઉછેરાય. પણ જો એવા છોકરાને પગ સડી જાય તે કપાવું પડે કે નહિ? બાકીના બચાવને માટે છેકરાના પગને કપાવ અનુચિત નથી. છએ કાયને અનંતા કાળ સુધી અભયદાન આપવાને તૈયાર થઈએ તેથી એટલે ભેગ દેવાને ભગવાનની પૂજા ભગવાનના બહુમાનને માટે નથી, પૂજા માટે નથી.
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy