SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ વસુદેવ કુમારનું વૃત્તાંત. એમ કહીને ધરણે પિતાના સ્થાને ગયે. તે (વિદ્યુત) ના વંશમાં ઉત્પન્ન થચેલી કેતુમતી નામે કન્યા, પ્રથમ અહીં વિદ્યાઓને સાધતી હતી, તેને પુંડર્દિક વાસુદેવ પરહયા હતા. તેના વંશમાં જન્મેલી, તારા પ્રભાવથી વિદાઓને સિદ્ધ કરનારી અને તેને વશ થયેલી એવી મને બાલચંદ્રાને તું પરણું અને મહાપુરૂષ! વિદ્યા સિદ્ધિને માટે હું તને શું આપું?” એટલે કુમાર બેલ્યો કે-વેગવતી વિદ્યા મને આપપછી તે વેગવતી વિદ્યા તેને આપીને તે ગગનવલભ નગરમાં ગઈ અને વસુદેવ તાપસાશ્રમમાં આવ્યા. તેવામાં તત્કાલ વ્રત લેનાર અને પિતાના પરૂષને નિંદતા એવા બે રાજા ત્યાં આવ્યા. તેમને જોઈને કુમારે ઉદ્વેગનું કારણ પૂછ્યું. એટલે તે બોલ્યાA “ શ્રાવસ્તી નગરીમાં પવિત્રાત્મા એણીષણ રાજા છે. તેણે પોતાની પુત્રી પિચંમંજરીના સ્વયંવર માટે ઘણા રાજાઓને બોલાવ્યા, પરંતુ તેની પુત્રી તેમાંના કે રાજાને વરી નહિ, તેથી ક્રોધાયમાન થયેલા તે રાજાઓએ મળીને સંગ્રામ આર, પણ તેના એકજ પિતાએ તે બધાને જીતી લીધા. એટલે તેમાં કેટલાક ભય પામીને ભાગી ગયા, કેટલાક પર્વમાં છુપાયા, કેટલાક જંગલમાં નાકા અને કેટલાક પાણીમાં પસી ગયા. હે મહાપુરુષ! અમે બે વૃથાભુજ તાપસ થયા.” એમ સાંભલીને વસુદેવે તેમને જૈનધર્મને ઉપદેશ આપે, એટલે તેમણે જેનદીક્ષા અંગીકાર કરી, અને કુમાર શાસ્તિમાં આખ્યો. ત્યાં ઉફાનમાં તેણે ત્રણ દ્વારવાળું એક દેવકુલ (દેવમંદિર) જોયું. તેમાં મુખ્ય દ્વારે બત્રીશ અર્ગલા ટીપેલા હોવાથી ત્યાંથી પ્રવેશ ન થઈ શકવાથી વસુદેવ પાસેના દરવાજાથી તેમાં પેઠા. ત્યાં દેવગહમાં વસુદેવે એક ઋષિની, એક ગૃહસ્થની અને એક ત્રણ પગવાળા પાહાની, એમ ત્રણ મૂર્તિ જોઈ. પછી તેણે એક બ્રાહણને પૂછયું, એટલે તે કહેવા લાગે કે અહીં જિતશત્રુ નામે રાજા હતા તેને મૃગધ્વજ નામે પુત્ર હતેા. વળી અહીં કામદેવ નામે એક શેઠ હતે. તે એક વખતે પિતાના ગેe (ઢાર બાંધવાના વાડા) માં ગયા. ત્યાં દંડક નામના પોતાના ગેવાળે તેને કહ્યું કે –“ આ ભેંસના પાંચ પુત્રને મેં પૂર્વે મારી નાખ્યા છે. હવે આ છઠ્ઠો પુત્ર બહુજ મનેહર રૂપવાળે થયે છે, એ જન્મતાંજ ભયથી કંપવા લાગ્યો અને ચલિત નયને મારા પગે પડ્યો. તેથી દયાને લીધે મેં તેને બચાવ્યું. માટે તું પણ એને અભય આપ, આ કઈ જાતિસ્મરણ જ્ઞાનવાળો લાગે છે.” એમ સાંભળીને શેઠ દયાથી તે પાડાને શ્રાવસ્તીમાં લઈ ગયા. ત્યાં શ્રેષ્ઠીએ તેને અભય આપવા રાજાને વિનવે, એટલે રાજાએ તેને અભય આપ્યું, ત્યારથી તે મહિષ (પા) નિર્ભય થઈને ફરવા ધાગે. એક વખતે ગવાજ અમારે તેને એક પગ છેદી નાખે, તે જાણીને રાજાએ તેને નિછ, તેથી તેણે દીક્ષા લઈ લીધી. પછી તે પાસે અઢારમે દિવસે મરણ પામ્યા, અને મૃગશ્વજને બાવીશમે દિવસે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે સુર,
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy