SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टम परिच्छेद. પ્રકરણ ૧૫ મું. ઝ પ્રતિવાસુદેવ જરાસંધ અને શિશુપાલને વધ. - વે યવનપથી જલમાર્ગે મહાભાંડ (કરીયાણ) લઈને કેટલાક વે પારી વાણીયા તે દ્વારકા નગરીમા આવ્યા. તેમણે ત્યાં બીજી બધી વસ્તુઓ વેચી, પરંતુ મહાકિંમતી રત્નકંબલેને તેઓ વેચી શક્યા. જે નહિ. એટલે વિશેષ લાભને ઈચ્છતા તે રાજગૃહ નગરમાં ગયા. ત્યા વસનારા વેપારીઓ આગળ થઈને તેમને જરાસ ધરાજેદ્રની છવયશા પુત્રીના ઘરે લઈ ગયા. ત્યાં તેમણે જીવયશાને ઉકાલમાં શીતલ, શીયાળામા ગરમ તથા કેમળ રામવાળા એવા રત્નકલે દેખાડ્યા, એટલે તે રત્નકંબલેની તેણએ અર્ધ કીંમત કરી, તેથી તે તે પિકારજ કરવા લાગ્યા કે-“અમે દ્વારકાને મૂકી અહી અધિક લાભની ઈચછાથી આવ્યા છીએ.” ત્યારે જીવીશાએ તેમને પૂછયુ- એ દ્વારકા નગરી કઈ? અને ત્યા રાજા કોણ છે?”તે વાણીયા બોલ્યા “સમુહે આપેલ સ્થાનમાં દેવોએ નવીન એક દ્વારકા નગરી બનાવી છે. ત્યાં દેવકીને વસુદેવને પુત્ર કુણુ નામે રાજા છે. તે સાંભળતાં છવયશા તરત મહાશોકાતુર અને હૃદયમાં શલ્યવાળી બની રૂદન કરતી બેલી કે હા હા ! મારા પતિને મારનાર હજી જીવે છે અને પૃથ્વીને ભગવે છે, જીવ શાને તેવી હાલતમાં જઈને જરાસંધ રાજાએ રેવાનું કારણ પૂછયું. એટલે તેણુએ કૃષ્ણને વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી આજલિ જેડીને તે બોલી કે “હે તાત! મને રજા આપો આજેજ હું અગ્નિમાં પ્રવેશ કરીશ, અને મારી પ્રતિજ્ઞાને પૂરણું કરીશ હવે હું જીવનાર નથી ” ત્યારે જરાસંઘે કહ્યું- હે પુત્રી! તુ રૂદન ન કર. આ હુ કસના શત્રુની માતા,
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy