SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રદ્યુમ્નકુમારને જન્મ અને પૂર્વભવ. ૧૨૭ હવે એક વખતે પ્રભાતે રૂકિમણુએ સ્વપ્નમાં ધવલ વૃષભપર રહેલ વિમાનમાં પોતાને બેઠેલી જોઈ અને તે જાગ્રત થઈ તેજ વખતે મહાશુદ્ધ વિમાનથી ચલ મહર્તિક દેવ રુકિમણું રાણુના ઉદરમાં અવતર્યો. તેણીએ તે સ્વપ્ન હરિને કહી સંભળાયું ત્યારે કૃષ્ણ કહ્યું કે–તને જગતમાં એક વાર એ પુત્ર થશે. એવામા સત્યભામાની દાસીએ, વિષ્ણુએ કહેલ સ્વપનને તેવા પ્રકારને અર્થ સાંભળી સત્યભામા પાસે આવીને કર્ણને દુખ ઉપજાનાર તે અર્થ કહી સંભળાવ્યા. ત્યારે તેણીએ ખોટા વન કપના કરીને કૃષ્ણની પાસે આવીને સ્વપ્ન કહી સંભળાવ્યું–આજે મેં અરાવણ જે હાથી વનમાં જે.”તેની બાહા ચેષ્ટાથી કૃણે તે સ્વપ્નને બનાવટી જાણ્યા છતા આ “ગુસ્સે ન થાય એમ ધારીને કહ્યું કે—તને સારે પુત્ર થશે તે વખતે દેવયાને તેને પણ ગર્ભ ર, અને ઉદર વધવા લાગ્યું, પણ રૂકિમણીને ઉત્તમ ગર્ભ હોવાથી તેનું ઉદરજેવું હતું તેવું જ રહ્યું. એક વખતે સત્યભામાએ કેશવને કહ્યું–આ તારી રૂકિમણી પ્રિયતમાએ તને કપટથી ગર્ભ કહ્યા છે. બંનેનું ઉદર જુઓ” એવામાં તેજ વખતે કૃષ્ણને વધાવતી એક દાસી દોડી આવીને બેલી- અત્યારે રૂકિમણું રાણીએ સુવર્ણ જેવી કાતિવાળા મહાત્મા પુત્રને જન્મ આપે તે સાંભળતા વલખી થયેલ અને ક્રોધમા આવી ગયેલ સત્યભામાએ પોતાના ઘરે જતાંજ ભાવુક નામના પુત્રને જન્મ આપે હવે કૃષ્ણ હર્ષ પામતો રુકિમણીના ઘરે ગયે, અને ત્યાં પ્રથમ સિંહાસન પર બેસી પુત્રને મંગાવીને તેણે જે. પિતાના શરીરની કાતિથી એ સર્વ દિશાઓને પ્રતિત કરવાથી કૃણે તેને પ્રદ્યુમન એવા નામથી બોલાવ્યો અને કેશવ ક્ષણવાર ત્યાં રહો. તે વખતે પૂર્વભવના વેરથી ધુમકેત નામે દેવ રૂમિના વેષે આવી, બાલકને લઈને વૈતાઢય પર્વત પર આવ્યો અને ભૂતનમણુ ઉદ્યાનમાં ટેકશિલા ઉપર જઈને વિચારવા લાગ્ય–શુ આને પછાડીને મારી નાખું? પરંતુ એમ કરવાથી આ દુખી નહિ થાય. માટે શિલા પરજ મૂકી દઉ કે જેથી આહારરહિત એ સુધાથી આક્રંદ કરતે મરી જાય” એમ નિશ્ચય કરી તે બાલકને ત્યા મૂકીને તે પોતાના સ્થાને ગ. હવે તે બાલક ચરમ શરીરી હાવાથી તથા નિયમ આયુષ્યવાળો હોવાથી બહુ પાંદડાંથી વ્યાપ્ત પ્રદેશમાં તે કંઈ પણ બાધા પામ્યા વિના શિલાપરથી નીચે પડશે. એવામા પ્રભાતે અગ્નિજવાલ નગરથી પિતાના નગર તરફ જતાં કાલસંવર વિદ્યાધરનું વિમાન ત્યાં ખલના પામ્યું. તે ખલના કારણને વિચારતે નીચે ઉતર્યો, અને મહા તેજસ્વી તે બાલકને તેણે દીઠે. “મારા વિમાનના ખલનમાં આ કઈ મહાત્માજ કારણભૂત લાગે છે, એમ જાણી તેને લઈને પિતાની કનકમાલા પતનીને પુત્ર તરીકે આપે. અને તે વિદ્યાધર પિતાના મેઘટનામના નગરમાં જઈને કહેવા લાગ્યા કે—મારી જીને ગુઢ ગર્ભ રહ્યો હતો, અત્યારે તેણે પુત્રને જન્મ આપે.” પછી તે કાલસંવર
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy